________________
૫૪
દરરોજ પ્રદક્ષિણા કરતાં કરતાં દૂહા ઉપરાંત મારી પસંદગીની કડીઓ મારા મુખમાંથી સરી પડતી.
પગ અધીરાં દોડતાં દેરાસરે દ્વારે પહોંચે ત્યાં અજંપો થાય છે કે
જ્યાં તમારા મુખના દર્શન થાય છે ! આંખડી મારી પ્રભુ હરખાય છે !
આ પંક્તિ હંમેશાં હું ગાતી હતી. દાદાનું ભાવપૂર્વક ચૈત્યવંદન કરી અમે ઘેટીની પાગે ઉતર્યા.
ઘેટીની પાર્ગ દર્શન કરી અમે નવટૂંકમાં આવ્યાં. નવટૂંકમાં ચાલવાનું બહુ છે. પગથીયાં પણ છે. ટૂંક એટલે દેરાસરનો સમૂહ.
દાદાની ટૂંકમાં દર્શન કરી મોતીશા શેઠની ટૂંકમાં દર્શન કરવા ગયા આ ટૂંક નલિની ગુલ્મ વિમાન જેવી દેખાય છે. બહુ જ સુંદર છે. ત્યાંથી બાલાભાઈની ટૂંકમાં દર્શન કરી થોડું ચઢીએ એટલે ડાબી બાજુ પહાડમાં બનાવેલી અર્બદ દાદાની ભવ્ય પ્રતિમા છે. ત્યાં પડઘા સાંભળવાની બહુ મઝા આવે છે. દાદા ઘી ખાશો કે ગોળ ! જે વાક્ય છેલ્લું હોય તેનો પડઘો પડે છે. અમે પણ નાનાં બાળકની જેમ આ વાક્ય ત્યાં જોરજોરથી બોલતાં હતાં. પડઘા સાંભળીને ખૂબ મઝા આવતી હતી.
થોડાં પગથીયાં ઉપર ચઢીએ એટલે ડાબી બાજુ એક નાની દેરીમાં શાંતિનાથ ભગવાનની પ્રતિમા છે. આ પ્રતિમાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org