________________
૪૯
દોઢ ગાઉની પ્રદક્ષિણા : યાત્રા દિવસ-૧૭
દાદાને ભેટવા અને ગિરિરાજ ઉપર જવા પગ ઉપાડ્યા. દાદાના દર્શન વંદન કરી અમે બધાં ડોળીવાળા સાથે દોઢ ગાઉની યાત્રાએ નીકળી ગયા, રામપોળથી ડાબી બાજુએ નીચે ઉતરવાનું છે. દાદાની ટૂંકને ફરતા કોટને તથા નવટૂંકના કોટને ફરતી પ્રદક્ષિણા કરી. હનુમાનધારા પર આવી ઉપર જઈ દાદાના દર્શન કરવાથી દોઢ ગાંઉની પ્રદક્ષિણા પૂર્ણ થાય છે. રસ્તો સાંકડો છે. પણ સાથે કંપની હતી તેથી ખૂબ મઝા આવી.
આ યાત્રામાં ચાલતાં ચાલતાં નવટૂંકની પાછળ જ્યાં ચૌમુખજીની ટૂંક છે તેની પાછલી બાજુ અમે આવ્યા. ત્યાં એક નાનું તળાવ છે. જેને ભાટ તળાવ કહેવાય છે. અમે બધાએ પથ્થર પર બેસી સમૂહમાં સાથિયા અને ચૈત્યવંદન કર્યું. ખૂબ જ આનંદ અનુભવ્યો. | દોઢ ગાઉની પ્રદક્ષિણા કર્યા પછી અમે નવટૂંકમાં ગયાં. બધે દર્શન વંદન કરી દાદાના દરબારમાં આવ્યાં. હજુ પ્રક્ષાલ ચાલુ હતો જેથી ઝડપથી સ્નાન કરી પૂજાના કપડાં પહેરી કેસરનો ચાંલ્લો કરી પ્રક્ષાલ માટે દોટ મૂકી. હજુ લાઈન ચાલુ હતી જેથી હાશ, દાદાનો પ્રક્ષાલ કરવા મળશે. એમ માનીને ઘણો જ આનંદ થયો. અંદર દરબારમાં બહેનોમાં ખૂબ ગીરદી હતી, ધક્કામુક્કી કરતાં અમે ગભારામાં પ્રવેશ કર્યો.
ગભારામાં જ્યાં હાથમાં કળશ આવ્યો અને દાદાનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org