________________
૫૦
પ્રક્ષાલ કર્યો કે મારી આંખો ભીની ભીની થઇ ગઇ. થયું કે દાદા તું ગજબ છે તારી અપાર કરુણા વરસી રહી છે. હૈયું ભાવવિભોર થઇ નાચી ઉઠ્યું. દાદાના પ્રક્ષાલમાં જાદુ છે.
દાદાની ઠકુરાઇ આગળ બધાં પાણી ભરે છે.
દાદાના સ્પર્શ માત્રથી જન્માંતરોમાં કરેલ પાપો નાશ પામે છે. દાદા પળે પળે આપણને પાવન કરી રહ્યા છે. ખરેખર આ દાદા જ સાચા પતિતપાવન છે એમ લાગ્યું.
ત્રણ ગાઉની પ્રદક્ષિણા : દિવસ-૧૮
આજે અમે ૩ ગાઉની જાત્રાએ જવાનું નક્કી કરેલ. સવારે ૫:૩૦ વાગે અમે બધાં એક મોટી રીક્ષામાં બેસી શત્રુંજય નદીએ ન્હાવા ગયેલાં. ત્યાંથી એક બોટલમાં શત્રુંજય નદીનું પાણી દાદાના પ્રક્ષાલ માટે લઇ લીધું અને અમે રોહિશાળાએ આવી ચૈત્યવંદન કરી યાત્રા શરુ કરી.
થોડું ચાલવાનું, થોડું ચઢાણ (પગથીયાં) આમ અડધે આવ્યા પછી ચઢાણ બહુ કપરું હતું. પરંતુ ચારેબાજુ વાતાવરણ અદ્ભુત હતું. દૂર દૂર દાદાનો ગિરિરાજ નજરે પડતો હતો. ચોમેર હરીયાળી પથરાયેલી દેખાતી હતી. ખુશનુમા પવન વાતો હતો. ચઢાણનો રસ્તો એકદમ સાંકડો હતો. આડા અવળા પગથીયા તથા નાના-મોટા પથ્થરો હતા. રસ્તો ઉબડ-ખાબડ હતો. ખૂબ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org