________________
૪૭.
આદિનાથ ! નવ્વાણું કરાવે આદિનાથ ! શત્રુંજયમાં આદિનાથ! આ ભાવવાહી શબ્દો સાંભળતાં સાંભળતાં રોમેરોમ રાજી રાજી થઈ જતા.
દાદા તમે ખરેખર અમારી યાત્રામાં પ્રાણ-નવજીવન બક્ષો છો. ધન્ય થઈ ગયો અમારો દિવસ. ધન્ય થઈ ગયું અમારું જીવન. દાદાની જાત્રા કરવામાં દિવસે દિવસે ભાવની અભવૃિદ્ધિ થવા લાગી. આજે દાદાના પ્રક્ષાલ માટે લાઈનમાં ઊભાં હતાં, રાયણ પગલે પૂજ્યશ્રી નાના પંડિત મહારાજ તેમના શિષ્ય સમુદાય સાથે તથા શ્રાવકો સાથે સમૂહમાં ચૈત્યવંદન કરતાં હતાં. અમે લાઇનમાં ઊભાં ઊભાં તેઓ વડે કરાતું ચૈત્યવંદન ધ્યાનથી સાંભળતાં હતાં.
બીજા મહારાજ સાહેબે ભાવવાહી સ્તવન ગાયું. “નીલુડી રાયણ તરુ તળે સુણ સુંદરી, પીલુડા પ્રભુના પાય રે ગુણ મંજરી.” બધાં સાથે ગાવા લાગ્યા. અમે પણ સાથે ગાયું.
દાદાના દરબારમાં તથા રંગમંડપમાં, રાયણપગલે બધાંનો જુસ્સો કંઈ ઓર જ હોય છે. ચારે બાજુ માનવ મહેરામણ જોવા મળે છે. કોઈ પ્રક્ષાલની લાઈનમાં, કોઈ ચૈત્યવંદનોની હારમાળામાં, કોઈ દાદાના દરબારમાં, કોઈ ભક્તિ ગીતમાં તરબોળ તો કોઈ ધૂપ-દીપમાં તલ્લીન થયેલા જોવા મળતાં.
દાદાની મુખ મુદ્રા શાંત-પ્રશાંત હોય છે. ધૂપની ઘટાઓ ફેલાતી હોય છે. પાટલાઓ ઉપર તથા ભંડાર ઉપર ચોખાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org