________________
૩૯ રતનપોળમાં પ્રવેશ કરીએ ત્યારે પુષ્પોની સુગંધથી વાતાવરણમાં સુગંધી છવાઈ જાય છે. મને ખૂબ જ ઉલ્લાસમાં આવી જાય છે. દાદાની મૂર્તિ રોજ રોજ ખિલતી હોય તેવો ભાસ થાય છે. દાદાનો પ્રક્ષાલ કરતાં ખૂબ આનંદ થયો. નવા આદેશ્વરના દેરાસરે પ્રક્ષાલ કરતાં કરતાં આંખમાંથી આનંદના અશ્રુ સરી પડ્યા. પ્રક્ષાલનું નમણ આંખે લગાવી ધન્યતા અનુભવી.
રંગમંડપમાં એક બાજુ પ્રક્ષાલ પૂજાની લાઇન હતી. બીજી બાજુ નવ્વાણુંની યાત્રા કરનાર ભાઈ-બહેનો સાથિયા તેમજ ચૈત્યવંદન કરતાં નજરે પડતા હતા. બીજી બાજુ સ્નાત્રપૂજા ભણાતી હતી, એક બાજુ ઘી બોલીના અવાજો તથા યાત્રિકો સ્તવનો ગાતાં નજરે પડતા હતા. લોકોની ભીડ જોઈ કોઈ જુદી દુનિયામાં આવ્યાં હોઇએ તેમ લાગતું હતું.
ચારેબાજુ લોકોનો ઉત્સાહ જોઈ મસ્તક ઝુકી પડે છે. અહીં વાતાવરણની એવી તો મસ્તી છે કે થાકનું નામ જ યાદ આવતું નથી. બધાં દાદાને ભેટવા ખૂબ ઉત્સુક થઈ જતાં નજરે પડે છે. આ બધો દાદાનો પ્રતાપ છે. ચારે બાજુએ જુદી જુદી ભક્તિ કરતાં અને આમ તેમ ઘૂમતાં લોકો દેખાતાં હતાં.
યાત્રા દિવસ-૬
આજે સવારે પથારીમાંથી ઊઠતાં જરા આળસ આવતી હતી. પણ મન મક્કમ હતું. દાદાને કોલ આપેલ કે આપણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org