________________
-
૩૭
પછી અમે રાયણપગલે, નવા આદીશ્વર, પુંડરીકસ્વામી વગેરે દેરાસરોમાં પ્રક્ષાલનો લાભ લીધો. નેમીનાથ, પાંચભાઈઓના દેરાસરે આદીનાથ, સહસ્ત્રફણા પાર્શ્વનાથ અને ચૌમુખજીમાં પૂજા કરી. આજે સેવા-પૂજા-ભક્તિ કરતાં અમને બહુ આનંદ થયો. બોલો બોલો આદીનાથ દાદાની જય. સાચા દેવની જય. આજના આનંદની જય !
યાત્રા દિવસ-૪
આજે દરરોજની જેમ દાદાને ભેટવા નીકળી પડ્યા. જય તળેટીએ દર્શન-વંદન-ચૈત્યવંદન કરી. ગિરિરાજને મસ્તકથી સ્પર્શ કરી દાદાની જય બોલાવી, ગિરિરાજની જય બોલાવી બાબુના દેરાસરે-ભમતીમાં ભીડભંજન પાર્શ્વનાથના દર્શન કરી અમારી યાત્રા શરુ થઈ. - થોડું ચઢીને અને થોડું ડોળીમાં એમ કરતાં દાદાના દરબારે આવી પહોંચ્યા. દાદાના દર્શન-વંદન-પ્રદક્ષિણા કરી અમે ઘેટી પાર્ગે જવા નીકળ્યાં. રસ્તામાં અમને “રાજુભાઈ અલબેલા” મળ્યા. આ રાજુભાઈ છેલ્લા ૨૦ વર્ષથી નવ્વાણું કરે છે. તેઓ ગિરિરાજ ઉપર ચઢતા-ઉતરતા કે રંગમંડપમાં હાલતાં ચાલતાં “આદેશ્વર અલબેલો છે” તે સ્તવન ગાતાં હોય છે તે સિવાય બીજું કાંઈ જ બોલતા નથી.
રાજુભાઈ અલબેલાના મુખેથી આદેશ્વર અલબેલો છે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org