SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૭ પછી અમે રાયણપગલે, નવા આદીશ્વર, પુંડરીકસ્વામી વગેરે દેરાસરોમાં પ્રક્ષાલનો લાભ લીધો. નેમીનાથ, પાંચભાઈઓના દેરાસરે આદીનાથ, સહસ્ત્રફણા પાર્શ્વનાથ અને ચૌમુખજીમાં પૂજા કરી. આજે સેવા-પૂજા-ભક્તિ કરતાં અમને બહુ આનંદ થયો. બોલો બોલો આદીનાથ દાદાની જય. સાચા દેવની જય. આજના આનંદની જય ! યાત્રા દિવસ-૪ આજે દરરોજની જેમ દાદાને ભેટવા નીકળી પડ્યા. જય તળેટીએ દર્શન-વંદન-ચૈત્યવંદન કરી. ગિરિરાજને મસ્તકથી સ્પર્શ કરી દાદાની જય બોલાવી, ગિરિરાજની જય બોલાવી બાબુના દેરાસરે-ભમતીમાં ભીડભંજન પાર્શ્વનાથના દર્શન કરી અમારી યાત્રા શરુ થઈ. - થોડું ચઢીને અને થોડું ડોળીમાં એમ કરતાં દાદાના દરબારે આવી પહોંચ્યા. દાદાના દર્શન-વંદન-પ્રદક્ષિણા કરી અમે ઘેટી પાર્ગે જવા નીકળ્યાં. રસ્તામાં અમને “રાજુભાઈ અલબેલા” મળ્યા. આ રાજુભાઈ છેલ્લા ૨૦ વર્ષથી નવ્વાણું કરે છે. તેઓ ગિરિરાજ ઉપર ચઢતા-ઉતરતા કે રંગમંડપમાં હાલતાં ચાલતાં “આદેશ્વર અલબેલો છે” તે સ્તવન ગાતાં હોય છે તે સિવાય બીજું કાંઈ જ બોલતા નથી. રાજુભાઈ અલબેલાના મુખેથી આદેશ્વર અલબેલો છે તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005467
Book TitleAmari Navvanu Yatrano Mitho Anubhav
Original Sutra AuthorN/A
AuthorPravina Chandrakant Mehta
PublisherPravina Chandrakant Mehta
Publication Year2006
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy