________________
૪૪
દાદાની આંખમાંથી કરુણાની અમી વરસતી જ રહે છે. આ અમીવર્ષામાં ભીંજાવા માટે હું દ૨૨ોજ સવારે દાદાના દરબારમાં ચૈત્યવંદન કરવા માટે તલસી રહી હોઉં છું. દાદા એ તો દાદા જ છે. સવારે દરબારમાં મહારાજ સાહેબો સ્તવન લલકારતાં જોવા મળે છે. લોકો ધૂપ-દીપ-ચામર-દર્પણ વિગેરેથી દર્શન કરતાં જોવા મળે છે. દરબારમાં જાતજાતની અને ભાતભાતની સ્તુતિઓ બોલાતી સંભળાય છે. બધાં જ યાત્રિકો પોતપોતાનાથી થતી ભક્તિમાં મસ્ત હોય છે.
દરબારમાં કોણ શું કરે છે ? કેવી રીતે ગાય છે ? કેવા પ્રકારના અને કયા રાગથી બોલે છે વિગેરે બાબતમાં કોઇને કંઇ જ પડી નથી. બધાં જ પોતાની ધૂનમાં મસ્ત જોવા મળે છે. દાદાને પોકારી પોકારીને બધા જ કહી રહ્યા હોય છે કે ‘દાદા દર્શન દો. દાદા દર્શન દો.’ કોઇ કહે છે કે ‘દાદા તારી મુખમુદ્રાને અમીમય નયને નિહાળી રહ્યો.' કોઇ કહે છે કે – ‘માતા મરુદેવીના નંદ, દેખી તાહરી મૂર્તિ મારું મન લોભાણુંજી' – વળી કોઇ ‘આદીનાથને જોઇ મન હરખે ઘણું રે લોલ.' કોઇ વળી ‘પેલા ડુંગરવાળા દાદા અમને રોજ બોલાવે.' આમ લોકોવડે ગવાતા સ્તવનોની રમઝટથી દાદાના દરબારમાં અત્યંત ભાવવિભોર વાતાવરણ હોય છે. આ વાતાવરણમાં મ્હાલવું એ જીવનનો એક પ્રકારનો લ્હાવો છે.
-
દાદા તો જાણે બધાંનું સાંભળતા હોય તેમ શાંત વદને દરેક ભક્તોને નિહાળી રહ્યા હોય છે. દાદા મરક મરક હસતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org