Book Title: Amari Navvanu Yatrano Mitho Anubhav
Author(s): Pravina Chandrakant Mehta
Publisher: Pravina Chandrakant Mehta

View full book text
Previous | Next

Page 33
________________ ૩૨ -ચૈત્યવંદન કરી, જય તળેટીએ પાછા આવે એટલે બે યાત્રા થઇ ગણાય. યાત્રા દીઠ પાંચ ચૈત્યવંદન કરવાનાં હોય છે. પુંડરીકગિરિ મહિમા આગમમાં પ્રસિદ્ધ.... અહીંથી અમે પુંડરીકસ્વામીના દેરાસરે દર્શન કર્યાં. આદીશ્વર દાદાની બરાબર સામે પુંડરીકસ્વામીનું દેરાસર છે. તેઓ દાદાના પૌત્ર અને પ્રથમ ગણધર છે. ચૈત્રી પૂનમના દિવસે પાંચ કરોડ મુનિવરો સાથે અણસણ કરી મોક્ષે ગયેલા છે. આજે પુનમની ભીડ હોવાથી, પાંચ ચૈત્યવંદન, ત્રણ પ્રદક્ષિણા, નવ લોગસ્સનો કાઉસ્સગ્ગ અને નવ ખમાસમણા આપીને અમે બધાં સાથે જ નીચે ઉતરવા માંડયાં. કંઇક મેળવ્યાના આનંદ સાથે નીચે આવી જયતળેટીએ પગથિયાંને મસ્તક અડાડી આભાર માન્યો. દાદાનો ખૂબ ખૂબ આભાર માન્યો. ઘણા જ ઘણા આનંદમાં ગરકાવ થઇ ગયાં. પછી અમે પાલનપુર યાત્રિક ભવન તરફ જવા રવાના થયા. સૌ પોતાની રૂમમાં જઇ, હાથ-મોઢું ધોઇ નીચે ભોજનશાળામાં એકાસણા માટે મળ્યાં. આમ આજનો દિવસ ઘણો યાદગાર બની જશે. દાદા તારા લાખ લાખ ઉપકાર. આજના આનંદનું વર્ણન કરવું અશક્ય છે. યાત્રા દિવસ-૨ આજે અમે બહેનો અર્ધો ગિરિરાજ જાતે ચઢયા અને બાકીના અર્ધા રસ્તે ડોળીનો ઉપયોગ કર્યો. આજે ગિરિરાજ પર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138