________________
- ૩૧ માંડ દાદાના દરબારમાં જવાનો ચાન્સ મળ્યો. દાદાને જોતાં જ આંખમાંથી હર્ષાશ્ર ઊમટી પડ્યાં. દાદાને એકીટશે નીહાળવાનો અવસર મળ્યો હતો. દાદાનું દિવ્ય તેજ ચારેબાજુ ફેલાઈ રહ્યું હતું. દાદાને નત મસ્તકે નમન કર્યું અને જાણે દાદાએ અમને આશીર્વાદ આપ્યા હોય એવો ભાસ થયો. ઘણી ગીરદી હોવાથી વધુ સમય રહેવા નહીં મળ્યું. બહાર રંગમંડપ યાત્રિકોથી છલકાઈ ગયો હતો. અમે બધાં માંડ માંડ બેઠાં અને સાથે ચૈત્યવંદન કર્યું. અને દાદાની જય બોલાવી.
દાદાનો દરબાર અને રંગમંડપ બહુ જ શોભતા હતા. દાદાના દર્શન અને પ્રદક્ષિણા કર્યા પછી અમે રાયણ પગલે (દાદાના પગલાંના) દર્શન કર્યા. રાયણ વૃક્ષ એ શાશ્વત છે. તેના પાંદડે પાંદડે દેવોનો વાસ છે. અમે રાયણવૃક્ષની ત્રણ પ્રદક્ષિણા કરી અને ચૈત્યવંદન કર્યું. - ઘેટીની પાળેથી પવિત્ર ગિરિરાજ ઉપર રાયણવૃક્ષની નીચે પૂર્વ નવ્વાણું વાર આવી આદીશ્વર દાદાએ જગતને ધર્મનો સંદેશ આપેલો. અહીં પવિત્ર પરમાણુઓ ઠાંસી ઠાંસીને ભર્યા છે. આ પવિત્ર ભૂમિના દર્શન કરતાં પ્રત્યેક આત્માને ખૂબ ખૂબ આનંદ થાય છે. ત્યાંનું વાતાવરણ જ ઘણા ઘણા ઉલ્લાસવાળું છે. નવ્વાણું કરનાર ભાગ્યશાળીઓ નીચે જય તળેટીના દર્શનચૈત્યવંદન કરી દાદાના મુખ્ય ગભારામાં દાદાના દર્શન કરી, ઘેટીની પાળેથી નીચે ઉતરી ત્યાં આવેલ દાદાના પગલે દર્શનચૈત્યવંદન કરી ફરી એજ રસ્તે ઉપર આવી દાદાના ફરી દર્શન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org