Book Title: Amari Navvanu Yatrano Mitho Anubhav
Author(s): Pravina Chandrakant Mehta
Publisher: Pravina Chandrakant Mehta

View full book text
Previous | Next

Page 18
________________ અનંતા મુનિ ભગવંતો જે ગિરિરાજ ઉપર સિદ્ધગતિને પામ્યા છે. એવા પવિત્ર અને શાશ્વતા શ્રી શત્રુંજય તીર્થ ઉપર ૯૯ યાત્રા પૂર્ણ રંગનો થાય તે મહાન પુણ્યના ઉદય સિવાય સંભવી ન શકે. .સન્ ૨૦૦૫ની સાલમાં જોબમાંથી મેં છે. ઉમંગ સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી કે તરત જ અમને બંનેને ૯૯ યાત્રાએ જવાનો વિચાર ઉદ્ભવ્યો. કુટુંબ, પરિવાર અને સંઘના સાધર્મિક મિત્રોએ અમારી યોજનાને વધાવી લીધી. પ્રવિણાએ પોતાના હૃદયમાં ઉદ્ભવતા ભાવોની પ્રતિદિન નોંધ લીધી છે. પુસ્તકમાં ઘણું વાંચ્યું, સ્વાધ્યાયમાં ઘણું સાંભળ્યું, પરંતુ જીવનમાં પ્રથમવાર અમે અનુભવ્યું કે પરમાત્માની આંખોમાંથી સતત ઝરતી કરૂણાનો અહેસાસ થાય છે ત્યારે તન અને મન અંતરમાં પડેલી સુષુપ્ત ચેતના સાથે જોડાય છે અને હૃદયમાં દઢ શ્રદ્ધા સ્થાપિત થાય છે કે દાદાની અસીમ કૃપા અને કરૂણાથી જ આ ૯૯ યાત્રા થઈ રહી છે. ભાઈઓ કરતા ત્રણ ગણી લાંબી લાઈનમાં દાદાના પ્રક્ષાલ માટે ઉભા રહેતા, આ ત્રણ બેનોના વદન ઉપર ઉત્સાહ હેજ પણ ઓસરતો જોયો નથી. શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પુંડરીકસ્વામી, શ્રી સીમંધરસ્વામી, શ્રી નવા આદીશ્વર અને રાયણ પગલે પ્રક્ષાલ કરતાં તેમની આંખોમાં ઉછળતો આનંદ જોયો છે. સાંજે પ્રતિક્રમણ કર્યા પછી અમો ધર્મચર્ચા કરતાં અને તેમાં દિવસ દરમ્યાન થયેલ આત્મિક આનંદની વાતો કરી અનુમોદના સહ આનંદ મેળવતા. પ્રથમ ૯૯ની સફળ યાત્રા પછી ૨૦૦૬ની સાલમાં ફરીવાર બાબુના દહેરાસરનું નીચેનું ૯૯ અને આચાર્યોના વ્યાખ્યાન દ્વારા સત્સંગની ઇચ્છા પ્રગટ થઈ. અમારી સામે ધર્મસંકટ આવીને ઊભું રહ્યું. ભારતમાં વિશેષ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138