________________
૧૫
અમેરિકામાં જૂદા જૂદા સ્થળે શ્રી પર્યુષણ પર્વની આરાધના ઉત્તમ પ્રકારે કરે છે અને કરાવે છે. સ્વ-પર શ્રેયરૂપ તેમની સમ્પ્રવૃત્તિમાં પ્રવિણાબહેનને હંમેશા સાથ હોય.
સાંસારિક અને ધંધાકિય પ્રવૃત્તિથી નિવૃત્ત થતાં પહેલા જ તેઓ ધર્મારાધના તથા આત્મકલ્યાણનું આયોજન વિચારતા હતા. તેમાં ૨૦૦૫-૬ માં તેમણે કારતક સુદ પુનમથી પ્રારંભ થતી નવ્વાણુંની યાત્રાનો શુભારંભ કર્યો અને સ્વસ્થતા – સઉલ્લાસથી તે યાત્રા દેવગુરુ કૃપાએ પૂર્ણ થઈ. તેના આનંદને વ્યક્ત કરવા તેઓએ આ આલેખન કર્યું છે.
પ્રવિણાબહેન લખે છે તે પ્રમાણે અમેરિકામાં કાર વગર ડગલું ન ભરનારા, આ તીર્થની પવિત્ર જયતળેટીએ આવે અને મન નાચવા લાગે. તન દોડવા લાગે કે ક્યારે દાદાના દર્શન કરીએ. આ મહાતીર્થમાં દરેક કણનો સ્પર્શ પવિત્ર છે. પૂરો ગિરિરાજ મહામુનિઓના નિર્વાણથી, સિદ્ધ થયેલા પરમાત્માના સ્પંદનોથી ભરપૂર છે. તેમાં રોજ રોજ સાધુ-સાધ્વીજીઓના પવિત્ર ચરણરજથી ભાવિત થાય છે. જેમાં ભાવિક યાત્રાળુઓની શુભભાવના ભળે છે.
પ્રવિણાબહેનને આ પવિત્રતાનો સ્પર્શ થયો, દાદાના દર્શનથી કર્મોને પખાળી આત્મિક આનંદ મેળવ્યો તે સહજ રીતે પાને પાને કલમમાં ઉતર્યો તે તેમના જ શબ્દોમાં
દાદાનું નમણ આખે-મસ્તકે લગાડ્યું અને દાદાએ અમને ધન્ય બનાવી દીધા, દાદાની કેવી કરૂણા ! બસ એમ થાય કે દાદાને નિરખ્યા કરું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org