Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 15
________________ ૧૪ ભજે છે. (૫) અને તેથી ક્ષેભ પામેલા તેના મન-વચન-કાયાના ચગની પ્રવૃત્તિ પણ તે પરભાવની પ્રાપ્તિ અર્થે તદનુકૂલપણે મુખ્યપણે પ્રવર્તે છે. આમ મૂળ અવિદ્યારૂપ આત્મબ્રાંતિને લીધે જ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ એ પાંચ આશ્રવદ્વાન કમઆગમનના ગરનાળા ખુલ્લા રહે છે. એટલે તે બંધહેતુઓથી આત્મા કર્મથી બંધાય છે, અને કર્મની બેડીથી બંધાયેલે આ જીવ ભવભ્રમણદુઃખ પામે છે. આથી ઉલટું (૧) પરભાવમાં આત્મબુદ્ધિરૂપ જે આત્મબ્રાંતિ છે, તે છેડી દઈ જીવ જે આત્મામાં જ આત્મબુદ્ધિ કરે, તો મિથ્યાત્વ ટળે, દર્શનમોહ નષ્ટ થાય અને સમ્યગદર્શન પ્રગટે. (૨) એટલે પછી અવિરતિ દોષ ટળે ને સર્વ પરભાવમાંથી વિરામ પામે-ભાવવિરતિ થાય. (૩) એટલે તેને આત્મસ્વરૂપથી ભ્રષ્ટતારૂપ પ્રમાદ દેષ ટળે અને સ્વરૂપને વિષે અપ્રમાદઅપ્રમત્ત સ્થિતિ હોય. (૪) એટલે પરભાવ નિમિત્તે કષાય કરે નહિં, રાગાદિ વિભાવથી રંગાય નહિં અને નિષ્કષાય-પૂર્ણ વીતરાગ થાય. (૫) અને કષાયજન્ય સંક્ષોભ નષ્ટ થવાથી મન-વચન-કાયાના યોગ પણ આત્મસ્થિરતાને અનુકૂળપણે વર, અને છેવટે અયોગ દશા પ્રાપ્ત થાય, આમ કર્મને આવવાના આશ્રવ-દરવાજા બંધ થવારૂપ સંવર થાય છે. દર્શનમોહ નષ્ટ થતાં અનુક્રમે ચારિત્રમોહ પણ નષ્ટ થાય છે; દર્શનમેહને હણ વાને અચૂક ઉપાય બોધ છે, ને ચારિત્રહને હણવાને અચૂક ઉપાય વીતરાગતા છે. આવી આ કર્મોના અગ્રણી દર્શનમોહ–ચારિત્રમેહ એમ ત્રિવિધ મોહનીય કર્મની, અને તેના ઉપભેદરૂપ આ પાંચ બંધહેતુઓની વ્યવસ્થા પરથી ચૌદ ગુણસ્થાનકની સમગ્ર વ્યવસ્થા પણ શીધ્ર સમજાઈ જાય છે, કારણ કે આ ગુણસ્થાનકનું બંધારણ (Constitution) મુખ્યપણે આત્માના આ મેહઅપગમ પર રચાયેલું છે. મેહની માત્રા જેમ જેમ ઘટતી જાય ને આત્માની નિશ્કષાય વીતરાગ પરિણતિ જેમ જેમ વધતી જાય, તેમ તેમ આત્માના ગુણવિકાસરૂપ સાચી સાધુતા-સાધકતા પ્રગટતી જાય છે. આમ કર્મબંધની અને તેના બંધહેતુઓની સંકલના પરથી સ્પષ્ટ સમજાય છે કેઆત્મબ્રાંતિ એ જ આ ભવભ્રમણદુઃખનું મૂળ છે. આ ભવભ્રાંતિ કયારે ટળે? તેના મૂળ કારણરૂપ આ આત્મબ્રાંતિ ટળે છે. કારણ કે આપણે જોયું તેમ ભાવમોક્ષની તાત્વિક કર્મથી દ્રવ્ય કર્મ અને દ્રવ્યકર્મથી ભાવકમ એમ સંકલન થયા કરે વ્યવસ્થા છે અને બંધનું દુષ્ટ ચક (Vicious circle ) ચાલ્યા કરે છે, અને તેથી ચક્રભ્રમણન્યાયે ભવને ચકા પણ ચાલ્યા કરે છે. આવી આ કર્મબંધની સાંકળ (chain) કયારે શૂટે? આ દુષ્ટ ચક્રને અંત ક્યારે આવે? આત્મભ્રાંતિરૂપ ભાવકમ ડ્યૂટે તો આ સાંકળ તૂટે અને આ દુશ્ચક બંધ પડે. અર્થાત્ જીવ જે દેહાદિ અને રાગાદિ પરભાવ પ્રત્યે આત્મભાવ ધરવાની ના પાડે, “પ્રત્યાખ્યાન' કરે, રાગ-દ્વેષ-મોહરૂપ વિપરીત ભાવે પરિણમવારૂપ વિભાવ છોડી દીએ, તે ભાવકર્મ ન બંધાય, એટલે તેને નિમિત્ત અભાવે દ્રવ્યકમ પણ ન બંધાય, અને આ કર્મબંધની

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 844