________________
વાણીનો સિદ્ધાંત
એવું તમને સમજમાં આવે છે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : ને લોકો તો શું કહે છે ? ‘હું બોલ્યો’ એવું બોલે છે ને ? તે જો ઠોકાઠોક ઠોકાઠોક કરે, વગર કામના. આ એમ કંઈ ચાલતું હશે આવું પોલંપોલ તે ? જગત પોલંપોલ નથી. આપણે દસેક મિનિટ વાતો કરીએ, ને પછી આપણે એમને કહીએ કે, ‘ફરી બોલો જોઈએ, જે બોલ્યા હતા તે. ફરી બોલો જોઈ.' તો શું થાય ?
પ્રશ્નકર્તા : ના બોલી શકાય.
૪૧
દાદાશ્રી : હા, ના આવડે. એનો એ એક અક્ષરે ય ના આવે. પ્રશ્નકર્તા : એનું એ ના આવે.
દાદાશ્રી : શાથી ?
પ્રશ્નકર્તા : એ તો દરેક વ્યક્તિ ના બોલી શકે.
દાદાશ્રી : તો એ ટેપરેકર્ડ ! ટેપરેકર્ડ હોય તો જ ના બોલાય ફરી. ટેપરેકર્ડ બોલાઈ ગઈ. આપણા હાથમાં સત્તા જ નહીં ને ! પેલી જે બોલ્યા ને, એ ટેપરેકર્ડ વાગી ગઈ. એટલે ફરીથી ના બોલાય એ અને તમે જો બોલતા હોય ને, તો ફરી બોલી શકો. આ તો હું જાતે જોઈને કહું છું. આ તો આખું સાયન્સ છે.
તો સોલ્વ થાય ૫ઝલ !
તમે બોલો છો, તે ય ટેપરેકર્ડ છે. પણ તમને ખબર નથી એટલે ‘હું બોલ્યો’ એમ બોલો છો. એ તમારે છૂટે એવું નથી. માટે તમને વાણી પારકાંની નહીં લાગે. અને હું તો આ જાણી ગયો કે ‘હું કોણ છું’ ને ‘આ બધું શું છે’ એનો ભેદ, એની વચ્ચે લાઈન ઓફ ડીમાર્કેશન છે મારે. આ ચેતનનો ભાગ અને આ મેટરનો ભાગ, એ બેની વચ્ચે લાઈન ઓફ ડીમાર્કેશન પડી ગયેલું છે મારે. ત્યારે સોલ્વ થાય નહીં તો આ પઝલ સોલ્વ થાય નહીં ને ! નહીં તો પારકાંના ખેતરના ભીંડા ખાઈએ, તો
૪૨
વાણીનો સિદ્ધાંત
ગાળો જ ભાંડે ને ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : ના ચાલે એ તો. તેનો માર છે ને, સંસારમાં. લોક પારકાં ખેતરનો લાભ ઉઠાવવા ફરે છે. ભાન નહીં હોવાથી બધા ‘હું બોલ્યો, તે બોલ્યો, હું કેવું બોલ્યો' એવું કહે છે. ત્યારે ‘હું’ તો નક્કી થયા સિવાય શું કેવું બોલ્યો તે ? જ્યાં સુધી જે કોઈ પણ માણસ એમ બોલે છે કે ‘હું બોલું છું, મારી વાણી છે’, ત્યાં સુધી એ અજ્ઞાની છે. જેટલી કચાશ એટલું એ બોલે.
એટલે આ ઓરિજિનલ ટેપરેકર્ડ વક્તા છે, તમે શ્રોતા છો ને હું જ્ઞાતા-દ્રષ્ટા છું. ‘વક્તા શું બોલે છે’ અને ‘શ્રોતાનો શો પ્રતિભાવ છે', એ બન્નેનો હું જ્ઞાતા-દ્રષ્ટા છું. આપણે દેખાઈએ છીએ બે, પણ વ્યવહાર ત્રણનો છે.
પ્રશ્નકર્તા : આ તમે કહો છો કે ટેપરેકર્ડ બોલે છે ને હું એનો જ્ઞાતા-દ્રષ્ટા છું.' તો આ જે પદ તમે કહો છો, તે અસલી પદ છે કે એના નીચેનું પદ છે ?
દાદાશ્રી : બિલકુલ અસલી પદ. એ જે જ્ઞાતા-દ્રષ્ટા છે ને, તે આ શરીરનો માલિક એ નથી, મનનો માલિક નથી, વાણીનો માલિક નથી, જુદો છે એ, એટલે અસલ પદ, તદન અસલી પદ. એની આગળ કોઈ ઉપરી છે જ નહીં.
પ્રશ્નકર્તા : એ અસલી પદ કેટલું દૂર છે ?
દાદાશ્રી : નજીકમાં નજીક અસલી પદ છે. બીજું બધું દૂર છે. ખેતરાં, બૈરી, છોકરાં, બીજું બધું ય આઘું છે.
પ્રશ્નકર્તા : તો એ પદ સમજાવો તમે. જ્ઞાતા-દ્રષ્ટા એટલે કેવી
રીતે ?!
દાદાશ્રી : ‘જ્ઞાની છું’ એટલે હું જ્ઞાતા-દ્રષ્ટા છું. શેનો ? ‘શું બોલી રહ્યું છે’ તેનો. ધિસ ઈઝ ધી ઓરિજિનલ ટેપરેકર્ડ. ઓરિજિનલ ટેપરેકર્ડ