________________
( ૧૧૪ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લા.
નિવાશી દેવતાને તે મેરૂ પર્વત હર્ષના કરનાર છે, પ્રશસ્ત એવા અનેક વર્ણાદિક ગુણે કરી ખિરાજમાન એટલે શાથે છેતેમ શ્રી ભગવાન પણ જાણવા. | ૯ ||
તે મેરૂ પર્વત સતસહસ્ર ચાજન પ્રમાણસર્ચંગે ઊંચપણે જાણવા તેમજ તે પર્વતના ત્રણ કાંડ છે, એક ભૂમિમય બીજો સુવર્ણમય ત્રીજો વેર્યમય છે અને પડંગવન છે તે વેજયંતિ એટલે ધ્વજા સમાન શાભે છે, તે મેરૂ પર્વત (ણવણતિ) એટલે નવાણુ હજાર યેાજન ઊંચા જાણવા અને નીચે ભૂમિ સચ્ચે એક હજાર ચેાજનના કેંદ્ર છે એમ સર્વ મળી એક લાખ ચેાજન પ્રમાણ છે. || ૧૦ ||
તે મેરૂ પર્વત આકારો ફરશીને રહ્યા છે તથા ભૂમિકાને અવગાહી રહ્યા છે, તિા ઊંચા અને નીચા એમ લેાક વ્યાસ છે જે મેરૂ પર્વતને ચાફેર અગીઆરોને એકવીશ ચાજનને અંતરે સુર્ય પ્રમુખ ન્યાતષિ દેવા પરિભ્રમણ કરતા થકા પ્રદક્ષિણા કરી રહ્યા છે, તથા તે મેરૂ પર્વત સુવર્ણમય છે, તથા ઘણા પરંતુ અંહી નંદનાદિક ચાર જાણવા એવા રળીયામણા બંન છે. જેને વિષે, એટલે પેહેલી ભૂમિકાને વિષે ભદ્રશાલ વન છે, તે ઉપર પાંચશે ચાજન ઉંચું બીજું નંદન જૈન છે, તે ઉપર સાઢીબાસઠ હજાર ચાજન ઊંચું ચડતા વળી ત્રીજું સામનસ વન છે, તે પછી છત્રીસ હજાર્ યાજન ઊંચું ચડતા શીખર ઉપર ચેાથું ખંડગવન ખંડ છે, જે પર્વતને વિષે મહેંદ્ર પણ ક્રીડા કરવાને અર્થે સ્વર્ગ થકી આવી તે રતીમુખ ભાગવે છે. ા ૧૧ મ
તે પર્વત વળી કેવા છે, તેા કે, મંદર મેરૂ સુદર્શન સુગર ઈત્યાદિક શબ્દે કરી મહેટા પ્રકાશવાન એટલે પ્રસિદ્ધ એવા છતા શાભે છે તથા સુવર્ણની પેઠે દૈદીપ્યમાન મુકુમાલ વહ્યું છે,