________________
સૂત્રસંવેદના-૨
શત્રુથી સુરક્ષિત છે, અને અન્યને સુરક્ષિત કરવામાં તત્પર છે. આ સ્વરૂપે પરમાત્માને જોવાથી અને તેમનું ચિંતન, મનન કે ધ્યાન કરવાથી આપણને અશરણદશામાં મૂકનારા રાગાદિ ભાવો અને તેને ઉત્પન્ન કરનારાં કર્મો નાશ પામે છે, આ રીતે નિમિત્તભાવે પરમાત્મા જ આપણું સાચું શરણ છે.
૯૮
શરણ આપનારા આ પરમાત્માને સ્મૃતિપટમાં લાવી, સર્વથા રાગાદિ શત્રુના વિજેતા પરમાત્મા પ્રત્યે બહુમાનભાવ પ્રગટ કરી નમસ્કાર કરતાં પરમાત્માને પ્રાર્થના કરીએ કે -
હે નાથ ! અનંતકાળથી અશરણદશામાં ભટકતા એવા અમોને આપ શા આપી સાચા સુખના સ્વામી બનાવો !” बोहिदयाणं ( नमोऽत्थु णं) બોધિ / સમ્યગ્દર્શનને આપનારા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.)
-
બોધિ એટલે સમ્યગ્દર્શન. ‘જિનેશ્વરભગવંતે જે પદાર્થ જે પ્રકારે કહ્યો છે તે તેમ જ છે' તેવી અડગ શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે. આ પરિણામ તત્ત્વના વિશિષ્ટ ચિંતનથી પ્રાપ્ત થયેલ મિથ્યાત્વ મોહનીયકર્મના ક્ષય, ઉપશમ કે, ક્ષયોપશમથી થાય છે, આથી જ વિશિષ્ટ તત્ત્વચિંતનરૂપ શરણનું ફળ બોધિની પ્રાપ્તિ છે.
મન અને આત્મા ઉપર જ્યારે ગાઢ મિથ્યાત્વનો પ્રભાવ હોય છે ત્યારે તેનામાં રાગ-દ્વેષના ભાવો અતિ પ્રબળપણે વર્તતા હોય છે. આ તીવ્ર રાગદ્વેષના પરિણામને 45ગ્રંથિ કહેવાય છે. ગ્રંથિ એટલે એક પ્રકારનો પૂર્વગ્રહ કે, જેના કારણે જીવ પોતાની માન્યતાને બદલી શકતો નથી.
અનાદિકાળથી જીવને ભૌતિક પદાર્થોમાં સુખ છે એવો એક પૂર્વગ્રહ પેદા થઈ ગયો છે તેની આ ગાંઠ તેને આત્મવિકાસ કરવા દેતી નથી. દોરામાં પડેલી
45. ગંતિ ત્તિ સુવુબ્મો, વડધળનુાંતિ ન ।
जीवस्स कम्मजणिओ घणरागद्दोसपरिणामो ।।
ગ્રંથિ એટલે ગાંઠ. આત્મા ઉપર પડેલા રાગ-દ્વેષના ઘન સંસ્કારને ગ્રંથિ કહે છે. આ ગાંઠ કેવા પ્રકારની છે, તેને સમજાવવા શાસ્ત્રમાં ગ્રંથિના ચાર વિશેષણો આપ્યાં છે. કર્કશ=કાથીની દોરી વગેરેમાં પડેલી ગાંઠને છોડવા જતાં જેમ હાથ છોલાઈ જાય છે,તેમ વિચિત્ર અને વિલક્ષણ પરિણામસ્વરૂપ આ રાગાદિ કષાયોને કાઢતાં દમ નીકળી જાય તેવો હોય છે. ઘન=રેશમી ગાંઠ જેમ તેલ અને મેલ ચઢતા નક્કર થઈ જાય તેમ કર્મના અનુબંધોને કારણે આ રાગાદિ ઘન થતા જાય છે.