________________
૧૮૮
સૂત્રસંવેદના-૨
.
કોઈ ઈચ્છાઓ તો થયા જ કરે છે અને અપ્રશસ્ત ઈચ્છાઓ સાધક આત્માને પણ કર્મ બંધાવી ભવમાં ભટકાવે છે. માટે આવી અપ્રશસ્ત ઈચ્છાઓનો અંત લાવવા અને પ્રશસ્ત ગુણોને પ્રગટાવવા અમુક ભૂમિકા સુધી આ માંગણીઓ જ આત્મા માટે ઉપકારક છે. આવી પ્રશસ્ત માંગણી દ્વારા જ સાધક મોહને મહાત (નાશ) કરીને, ગુણપ્રાપ્તિ માટે ચોક્કસ પ્રકારનો પ્રયત્ન કરી શકે છે. આમ જ્યાં સુધી મોહનું સામ્રાજ્ય છે, ત્યાં સુધી આવી માંગણી કરવી તે સાધક માટે યોગ્ય જ છે.
આથી જ સાધક કહે છે - “સિદ્ધાંતમાં નિયાણું કરવાની ‘ના’ કહી છે. તેથી મારે કોઈ આકાંક્ષા રખાય જ નહિ. આમ છતાં અન્ય વસ્તુઓની આકાંક્ષા હું છોડી શકું છું, પરંતુ “તમારા ચરણની સેવા મને પ્રાપ્ત થાઓ” – આવી આકાંક્ષા હું છોડી શકતો નથી, કેમ કે, તેના વિના મારું કલ્યાણ શક્ય નથી.”
ચરણની સેવા એટલે માત્ર પગસ્વરૂપ કાયાની સેવાની જ અહીં માંગણી નથી કરી, પરંતુ પરમાત્માના ચરણ એટલે ચારિત્રની અથવા ચરણ એટલે આપે જે તત્ત્વમાર્ગનું (આજ્ઞાનું) નિરૂપણ કર્યું છે, તેના (આજ્ઞાના) યથાર્થ પાલનરૂપ તત્ત્વકાયની મને પ્રાપ્તિ થાઓ, તેવી અહીં માંગણી કરવામાં આવી છે.
જો કે સદ્ગુરુના વચન સચ્ચારિત્રના પાલન સ્વરૂપ જ છે. તેથી તદ્દીન સેવનાની માંગણીમાં આ માંગણી આવી જ જાય છે. તો પણ “ભગવાનનાં ચરણોની સેવા મને ભવોભવ મેળો” તેવી માંગણી અત્યંત ભાવવૃદ્ધિનું કારણ બને તેવી છે. તેથી આ રીતે પુનઃ કરાતી પ્રાર્થના દોષરૂપ નથી.
વળી, ભગવાનનાં ચરણની સેવા તે સજ્ઞાન અને સ&િયાસ્વરૂપ મોક્ષમાર્ગની આસેવના છે, તેથી પુનઃ પુનઃ કરાતી આ માંગણી વર્તમાનમાં પણ જ્ઞાનને અનુરૂપ ઉત્તમ આચરણમાં શક્તિ અનુસાર યત્ન કરાવે છે. તેથી પણ આવી માંગણી યોગ્ય જ છે. ૧. રાગગર્ભિત : “મારા તપના પ્રભાવથી મને ચક્રવર્તીની સ્ત્રી જેવું સ્ત્રીરત્ન મળો.”
રાગના કારણે કરેલ સંભૂતિમુનિના આ નિયાણાને રાગગર્ભિત નિદાન
કહેવાય છે. ૨. દ્વેષગર્ભિત : “મારા તપનું કોઈ ફળ હોય તો હું ભવોભવ ગુણસેનને મારનારો
થાઉં.' આવા દ્વેષથી કરેલા અગ્નિશર્માના નિયાણાને દ્વેષગર્ભિત નિયાણું
કહેવાય છે. ૩. મોહગર્ભિતઃ ધર્મથી જ ભૌતિક સુખ મળે છે, તેવું સાંભળ્યું હોય તેથી એવું નિયાણું
કરે કે, મને ભવોભવ ધર્મ મળો, જેથી દુન્યવી સુખો મળે અને સારી રીતે મોજ કરી શકાય. આ મોહગર્ભિત નિયાણું છે.