________________
ઉવસગ્ગહરં સૂત્ર
૧૩૭
આથી અને વળી આપણું પુણ્ય અતિ અલ્પ હોવાથી અત્યારે દેવો તેનાથી પ્રત્યક્ષ થતા નથી.
આ સ્તોત્રની રચનાકૃત વિશેષતા એ છે કે, તેની પ્રથમ ગાથામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની ૮૦ પ્રકારે સ્તુતિ થાય છે. બીજી ગાથામાં ૪૦ પ્રકારે સ્તુતિ થાય છે. ત્રીજી, ચોથી અને પાંચમી ગાથામાં બીજા ૪ પ્રકાર મળીને સમગ્ર સ્તોત્ર વડે કુલ (૮૦૮૪૦૮૪=) ૧૨૮૦૦ પ્રકારે શ્રી પાર્શ્વનાથ ભગવંતની સ્તુતિ થાય છે. જે સ્તોત્રમાં માત્ર પાંચ જ ગાથાઓ વડે આટલી બધી રીતે સ્તુતિ થઈ શકે તે સ્તોત્ર કેટલું મહિમાશાળી હોય તે સામાન્ય બુદ્ધિથી પણ સમજી શકાય તેવું છે.
આ ઉપરાંત આ સ્તોત્રમાં અર્થમાં થોડો ફેરફાર કરીને શ્રી પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર દેવ તથા પદ્માવતી દેવીને અનુલક્ષીને પણ સ્તવના થઈ શકે છે.
વળી, આ સ્તોત્ર શ્રી નમસ્કાર મહામંત્રના બીજથી વાસિત છે. તેથી તેની પાંચે ગાથાના પહેલા પદોના, પહેલા અક્ષરો ‘ઉવ', ‘વિસ', “ચિટ્ટ', “તુહ” અને “ઈએ અનુક્રમે ઉપાધ્યાય, સાધુ, આચાર્ય, અરિહંત અને સિદ્ધપદના વાચક છે.
મહામાંગલિક નવસ્મરણમાં આ સૂત્ર બીજું સ્થાન ધરાવે છે. નવસ્મરણમાં ગણાતા સ્તોત્રોની પ્રાચિનતાનો વિચાર કરીએ તો નવકાર મંત્ર તો શાશ્વત છે અને બાકીના આઠ સ્તોત્રોમાં ઉવસગ્ગહર સ્તોત્ર પ્રાચિનતમ છે.
આ સ્તોત્રની ગાથાઓ સંબંધી ઘણા મતભેદો છે, પરંતુ હાલમાં તો આ સ્તોત્રની પાંચ ગાથાઓ પ્રચલિત છે. તેમાં પ્રથમ ગાથામાં જુદાં જુદાં વિશેષણો દ્વારા પાર્શ્વનાથ ભગવાનની સ્તવના-વંદના કરવામાં આવી છે. બીજી ગાથામાં તેમના નામથી અધિષ્ઠિત ‘વિષધર કુલિંગ' મંત્રના પાઠથી કયાં કયાં ફળો પ્રાપ્ત થાય છે, તે જણાવ્યું છે. ત્રીજી ગાથામાં મંત્રની વાત તો દૂર રહો, પરંતુ
2. આ સ્તોત્રની પ્રથમ ગાથામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની ૮૦ પ્રકારે સ્તુતિ કેવી રીતે રહેલી છે, તેને
સામાન્યથી સમજવા માટે આ રીતે ગણત્રી કરવી. સૌ પ્રથમ તો ‘૩વસ દરં પાસ' શબ્દના પાંચ અર્થો છે, ‘મુદ્ધ' શબ્દના બે અર્થો છે, “વિસદરવિનિન્નસિં' શબ્દના ચાર અર્થો છે, તથા “મંાછળ બાવા' “શબ્દના બે અર્થો છે. આ દરેક અર્થોનું combination કરતા
પ૪૨૮૪x૨ = ૮૦ અર્થો પ્રાપ્ત થાય. આ સર્વની વિશેષ વિગતો ગુરુગમથી સમજી લેવી. 3. આ અંગેની વિશેષ જાણકારી માટે જૈન સાહિત્ય વિકાસ મંડળ દ્વારા પ્રકાશિત “ઉવસગ્ગહર
સ્તોત્ર સ્વાધ્યાય' પુસ્તક જોવું અને “અનેકાર્થ રત્નમંજુષા માંથી ‘અર્થકલ્પલતા વૃત્તિ' જોવી.