________________
૧૩૨
अ
-
(૬) - પણ
અહીં “ચ” શબ્દ “અપિ” (પણ) અર્થમાં છે. તેનાથી એ કહેવું છે કે, કર્મભૂમિમાં રહેલા સાધુ ભગવંતોને તો વંદના છે જ, પરંતુ દેવે કરેલા સંહરણ આદિથી અકર્મભૂમિમાં કોઈ સાધુ ભગવંત લઈ જવાયા હોય કે, નંદીશ્વરાદિ તીર્થની યાત્રાર્થે જે કોઈ જંઘાચરણ, વિદ્યાચરણ આદિ લબ્ધિસંપન્ન મુનિઓ ગયા હોય તેઓને પણ વંદના કરવામાં આવી છે. આવા પ્રયોગ દ્વારા શાસ્ત્રકારની સાધુ માત્રને વંદન કરવાની ભાવના વ્યક્ત થાય છે.
સૂત્રસંવેદના-૨
સન્થેસિં તેમિ પળો, તિવિદેખ ત્તિવંડ-વિયાળું - ત્રણ દંડથી વિરામ પામેલા તે સર્વને ત્રણ યોગથી હું નમેલો છું.
આત્માને જે દંડે - દુઃખી કરે, તેને દંડ કહેવાય છે. પાપ પ્રવૃત્તિમાં પ્રવર્તતાં મન, વચન અને કાયાના યોગો આત્માને અશુભ કર્મનો બંધ કરાવી, દુર્ગતિઓમાં ભટકાવી દુઃખી કરે છે, માટે તેને દંડ કહેવાય છે.
મન, વચન અને કાયારૂપ આ ત્રણ શક્તિઓ જીવને મળે છે. જ્ઞાનીપુરુષો આ ત્રણ શક્તિઓનો સાધના ક્ષેત્રમાં સદુપયોગ કરી આત્માના અનંત આનંદને હાંસલ કરે છે અને અજ્ઞાની જીવો કાલ્પનિક સુખોની પાછળ, ઈન્દ્રિયોને સંતોષવાની પાછળ અને આત્માથી ભિન્ન એવા શરીર આદિને શણગારવાની પાછળ આ શક્તિનો દુરુપયોગ કરી, આ જ શક્તિ દ્વારા દુરંત સંસાર ઊભો કરે છે. આ રીતે મહાન પુણ્યોદયે પ્રાપ્ત થયેલા આ યોગોને સંસારીઓ દંડસ્વરૂપ બનાવે છે.
જંબુદ્રીપની એક બાજુ (૨+૪+૮+૮) કુલ ૨૨ લાખ યોજન પ્રમાણ ક્ષેત્રમાં મનુષ્યની ઉત્પત્તિ થાય છે અને બીજી બાજુ પણ ૨૨ લાખ યોજન પ્રમાણ ક્ષેત્રોમાં મનુષ્યો હોય છે. તેથી જંબુદ્રીપ સહિત (૧+૨૨+૨૨) કુલ-૪૫ લાખ યોજન પ્રમાણ મનુષ્યલોક છે. આ અઢી દ્વીપમાં ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતર્લીપો આવેલા છે. ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતર્દીપોમાં યુગલિક મનુષ્યો ઉત્પન્ન થાય છે, જેઓ સાધુપણું પ્રાપ્ત કરી શકતા નથી. ૧૫ કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો જ આ સાધુપણાને પ્રાપ્ત કરી શકે છે. આ ૧૫ કર્મભૂમિઓ નીચે પ્રમાણે છે –
જંબુદ્રીપમાં
૧ ભરત ૧ ઐરવત અને ૧ મહાવિદેહ
ધાતકીખંડમા
૨ ભરત ૨ ઐરવત અને ૨ મહાવિદેહ
અર્ધપુષ્કરવ૨દ્વીપમાં
૨ ભરત ૨ ઐરવત અને ૨ મહાવિદેહ
૫ ભરત +૫ ઐવત + ૫ મહાવિદેહ = ૧૫ કર્મભૂમિ
કુલ
+
+