________________
તમોત્થ ણં સૂત્ર
ધર્મપ્રાપ્તિનાં આ પાંચ પગથિયાં છે, આથી આ પાંચે ભાવોને યથાર્થ રીતે સમજી મુમુક્ષુ આત્માએ પ્રાથમિક કક્ષામાં આ પાંચ ભાવોની પ્રાપ્તિ માટે જ યત્ન કરવો જરૂરી છે કેમ કે, આ પાંચ ભાવોની પ્રાપ્તિ વિના વાસ્તવિક ધર્મનો પ્રારંભ થઈ શકતો નથી.
૧૦૫
અભયાદિ પાંચે ભાવોને સાંખ્યમતવાળા મહર્ષિ ગોપેન્દ્ર; ધૃતિ, શ્રદ્ધા, સુખા, વિવિદિષા અને વિજ્ઞપ્તિ આ શબ્દોથી ઓળખાવે છે. તેઓ પણ નિવૃત્તપ્રકૃતિ અધિકારવાળા પુરુષને જ આ થાય છે, તેવું માને છે.
સંક્ષિપ્તમાં આ પાંચે ભાવોને મનમાં ઉપસ્થિત કરવા માટે શાસ્ત્રમાં જુદી જુદી રીતે, જુદાં જુદાં સ્થાને અને જુદા જુદા દર્શનકારોએ જે રીતે બતાવ્યા છે, તે પેજ નંબર-૧૦૬ પર આપેલ કોઠામાં જુઓ.
અભયથી માંડી બોધિની પ્રાપ્તિ કરાવવા સ્વરૂપ સામાન્યથી પ્રભુએ જીવો ઉપર શું ઉપકાર કર્યો છે, તે જોયું. શ્રુતધર્મની અપેક્ષાથી ચારિત્ર એ વિશેષ ધર્મ છે. માટે હવે ચારિત્રધર્મની પ્રાપ્તિ કરાવવા દ્વારા ભગવાન વિશેષથી શું ઉપકાર કરે છે, તે હવે પછીનાં પાંચ પદો રૂપ છઠ્ઠી વિશેષ ઉપયોગ સંપદામાં બતાવે છે
-
ધમ્મતવાળું (નમોઽત્યુ ō) - ધર્મનેં આપનારા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.)
=
ધર્મથી અહીં ચારિત્રધર્મને આપનારા પરમાત્માને નમસ્કાર કરવામાં આવ્યો છે. ભગવાન ચારિત્રધર્મના દાતા છે, પણ કઈ રીતે ? કેમ કે - ચારિત્ર અંતરંગ પરિણામરૂપ છે અને અંતરંગ પરિણામનું પ્રદાન સીધું થઈ શકતું નથી. માટે સૌ પ્રથમ પ્રભુ ભવ્યાત્મામાં તાત્ત્વિકકોટિના ધર્મશ્રવણની યોગ્યતા પ્રગટાવે છે. (આ યોગ્યતાં પણ ગુણવાન પરમાત્મા પ્રત્યેના બહુમાનથી જ પ્રગટ થાય છે.) ત્યાર પછી દેશના દ્વારા ભવ્યાત્માને સંસારનો વૈરાગ્ય ઉત્પન્ન કરાવી તેને તાત્ત્વિકકોટિના ધર્મનું પ્રદાન કરે છે. આ ધર્મ તે દેશચારિત્ર અને સર્વચારિત્ર એમ બે પ્રકારનો છે.
53. નિવૃત્ત-પ્રકૃતિ અધિકાર એટલે કર્મપ્રકૃતિનો અધિકાર જે પુરુષ ઉપરથી ઊઠી ગયો છે, અર્થાત્ કર્મ હવે પુરુષનો પરાભવ કરી શકતું નથી. કર્મની ચાલે હવે પુરુષ ચાલતો નથી તેવા પુરુષને જ આ ભાવોની પ્રાપ્તિ થાય છે, તેમ તેઓનું માનવું છે; જે આપણને માન્ય છે.