Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૨૯
પ્રશ્ન
અન્યસંબંધી થતાં મોશ્ચાત્તે..... ૨-૪-૯૬ થી હૂસ્વ થયેલાં છે. તે કારણે આ સૂત્રથી ‘‘સિ'' પ્રત્યયનો લુકૂ થયો નહીં.
પ્રશ્ન - પુનઃ ‘‘સિ’’ પ્રત્યયનું ગ્રહણ શા માટે કર્યું ?
જવાબ – ઉ૫૨ના ૧-૪-૪૦ સૂત્રથી ‘“સ'' પ્રત્યયની અનુવૃત્તિ આવતી જ હતી. છતાં પુનઃ ‘‘સિ’’ પ્રત્યયનું ગ્રહણ કર્યું છે. તે જ જણાવે છે કે ઉપરનાં સૂત્રોમાં ‘‘સિ’’ પ્રત્યયનો લુફ્ સંબોધનમાં થતો હતો. જયારે આ સૂત્રમાં પ્ર.એ.વ.નાં ‘‘H’' પ્રત્યયનો લુફ્ કરવો છે. માટે પુનઃ ‘‘સિ'' પ્રત્યયનું ગ્રહણ કરવાની જરૂર પડી.
પ્રશ્ન -કી અને આપ્ જેને લાગ્યા હોય તે દીર્ઘ જ હોય છતાં દીર્ઘ એ પ્રમાણે વિશેષણ સૂત્રમાં શા માટે ગ્રહણ કર્યું છે ?
જવાબ – મૈં અને આપ્ જેને લાગ્યા હોય તે દીર્ઘ જ હોય તે વાત બરાબર છે. પણ જયારે તે શબ્દો અન્યસંબંધી થાય ત્યારે હ્રસ્વ થઇ જાય છે. જયારે ડ્રસ્વ થાય ત્યારે ‘‘સિ'' પ્રત્યયનો લુફ્ નથી કરવો માટે સૂત્રમાં દીર્ઘ વિશેષણ જરૂરી છે.
‘‘વીર્યાન્ સેઃ'' આટલું જ સૂત્ર કરવાની જરૂર હતી. ‘'રીપંચાક્
व्यञ्जनात् સે:'' આવુ લાંબુ સૂત્ર કરવાની જરૂર ન હતી. કેમકે વ્યંજનાન્ત નામ થકી‘‘સિ’'પ્રત્યય આવે તો પવસ્ય ૨-૧-૮૯ સૂત્રથી વ્યંજન અને ‘‘સિ'' નો સંયોગ થવાથી સંયોગના અંત્ય વ્યંજન એવા પ્રત્યયનો લોપ થઇ જ જાત. તેથી વ્યગ્નનાત્ શબ્દને સૂત્રમાં લેવાની શું જરૂર છે ?
જવાબ - નથી જરૂર. છતાં પણ ‘‘વ્યઅનાત્'' શબ્દને સૂત્રમાં લીધો છે. તે જ જણાવે છે કે મૈં અંતવાળા શબ્દોને ‘“પદ્દસ્ય' ૨-૧-૮૯ સૂત્ર લાગતાં (પહેલાં) ‘‘નાનો નો નલઃ'' ૨-૧-૯૧ સૂત્ર લાગીને ર્ નો લોપ થઇ જશે. હવે અંતે સંયોગ રહેતો નથી. તેથી હવે‘‘પસ્ય’'સૂત્ર લાગવાની પ્રાપ્તિ જ નથી રહેતી. અને ‘fÇ' પ્રત્યયનો લોપ તો કરવો જ છે. માટે ર્ અંતવાળા નામોથી પર રહેલા ‘“સ” પ્રત્યયનો લોપ કરવા માટે જ‘‘વ્યજ્ઞનાત્ '' શબ્દને સૂત્રમાં ગ્રહણ કર્યો છે. તેની પુષ્ટિ કરવા માટે જ આ સૂત્રમાં ‘‘રાજ્ઞા'' નું ઉદાહરણ મૂકેલું છે. સમાનામોત: । ૧-૪-૪૬.
અર્થ – સમાનથી પર રહેલાં ‘‘અમ્'' પ્રત્યયના અ નો લુમ્ થાય છે.