Book Title: Pankhini pankhe vivekni Aankhe
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 10
________________ મચ્છર ! તને ગટર જ ગમે, નદી નહીં. એ કેવું? માંકડ ! તને લોહી પીવું જ ગમે, દૂધ પીવું નહીં. એ કેવું? માખી ! તને વિષ્ટા પર જ બેસવું ગમે, પુષ્પ પર નહીં. એ કેવું? ગળુ વાંદરા દ્વારા પુછાયેલ આ પ્રશ્નનો જવાબ આપતાં ત્રણે જણાએ એક જ વાત કરી કે અમે ત્રણે ય જણાં જેના ઘરમાં રહીએ છીએ એ માણસ જબરદસ્ત નિંદક છે. એ સજ્જનોના દોષો જ જુએ છે, ગુણો નહીં. એ સાધુ પુરુષોના અવર્ણવાદ જ કરે છે, ગુણાનુવાદ નહીં. એ ઉત્તમ પુરુષોને ગાળો જ આપતો રહે છે, સન્માન નહીં. હવે તમે જ કહો. એ નિંદકના ઘરનું ભોજન જ જ્યારે અમારા ત્રણેયનાં પેટમાં વરસોથી ગયું હોય ત્યારે અમારામાં એના જ સંસ્કારો આવે એમાં નવાઈ શી છે? તમે અમને એ દોષોથી મુક્ત કરવા માંગતા હો તો અમને કોક ગુણાનુરાગીના ઘરમાં ગોઠવી દો ! અમારો ગલત સ્વભાવ અમે ફેરવીને જ રહેશું.’ ૧0

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100