________________
‘તમે બધા ય ઘરડાંઓ અહીં એક જ જગાએ શું ભેગા થઈ ગયા છો? અને તમારા કોઈના ય ચહેરા પર ચમક કેમ દેખાતી નથી ? વળી, આ સ્થળ મને સાવ અજાણ્યું કેમ લાગે છે?' ઘટાદાર વૃક્ષની બે-પાંચ ડાળીઓ પર ઘરડાં પંખીઓને જોઈને મોરે એક વૃદ્ધ પોપટને પૂછયું. ‘એવું છે ને કે મારો દીકરો બે વરસથી શહેરના એક શ્રીમંતને ત્યાં રહેતો હતો. પછી એ શ્રીમંતને ત્યાં એણે જોયું કે અહીંનાં તમામ ઘરોમાં કોઈને ય ત્યાં એમનાં મા-બાપ છે જ નહીં. એ ઘરના માલિકને એણે પૂછ્યું. એણે જવાબ આપ્યો કે ‘વૃદ્ધાવસ્થાએ પહોંચેલા આપણાં મા-બાપ પાછલી વયમાં શાંતિથી જીવી શકે કિ મરી શકે ?] એ માટે એમને ઘરડા ઘરમાં જ મૂકી આવવા. એ ત્યાં મજામાં અને આપણે અહીં મજામાં !” મારો દીકરો આ જવાબ સાંભળીને ઊડીને સીધો અહીં આવ્યો અને આ વૃક્ષ પર એણે વૃદ્ધાશ્રમ ખોલી દીધો ! શું કહીએ? અમે બધા ય ઘરડાંઓ અહીં પ્રસન્નતાથી આવ્યા નથી પણ અમારા દીકરાઓ અમને પરાણે અહીં મૂકી ગયા છે. પ્રાર્થીઓ છીએ ભગવાનને કે એ અમને જલદી પોતાની પાસે બોલાવી લે !'
૬૪