________________
- -
ભ્રમર વિષ્ટા પર ? કોયલ લીમડાની ડાળે ? હંસ ગટર પાસે ? બુલબુલ ઉકરડે ? મોરની દોસ્તી કાગડા સાથે ? કબૂતરનું બેસવા-ઊઠવાનું ગીધ સાથે ? આવો વિસંવાદ પંખીજગતમાં લાખો વરસમાં પહેલી જ વાર સર્જાયો હતો. એનાથી વ્યથિત થઈ ગયેલા ગૃહપ્રધાન બલુરાજ જટાયુએ એક તપાસપંચ નીમ્યું. તપાસ પંચ છ મહિના બાદ ગૃહપ્રધાનને આપેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે ‘આ તમામ પંખીઓ શહેરમાં ચાલતી કૉલેજોમાં જ પડ્યા-પાથર્યા રહેતા હતા. એ કૉલેજોમાં ભણી [2] રહેલા યુવાન-યુવતીઓના આચરણને જોતાં જોતાં એમનામાં આ વિકૃતિઓ પ્રવેશી ગઈ છે. હવે એનાથી તેઓને મુક્ત કરી શકાય તેમ નથી.'
૭૬