________________
39
‘આધાત તો મને એ વાતનો લાગ્યો છે કે આવો સહેલો
વિચાર તમારા ભેજામાં પેદા જ શી રીતે થયો ? વૃદ્ધ મા-બાપ માટે વૃદ્ધાશ્રમ ?
અને એ ય આપણા સંસ્કારી ગણાતા પક્ષીજગતમાં ? માનવજગતને તો માફ કરી શકાય કે
એની પાસે ‘કૃતજ્ઞતા’ ગુણની એવી લાંબી
કોઈ સમજ જ નથી અને એનાં જ કારણે એ ઠેર ઠેર
પોતાનાં ઘરડાં મા-બાપો માટે વૃદ્ધાશ્રમો ખોલી રહી છે.
અરે, એ જાત તો એવી કૃતઘ્ન છે કે
એને બૈરી નથી ગમતી તો એને એ છૂટાછેડા
આપી દે છે અને સ્ત્રીના પેટમાં રહેલ બાળક
અને નથી જોઈતું તો પેટમાંથી જ એને એ પરલોકમાં રવાના કરી દે છે. હું તમને જ પૂછું છું. ભૂતકાળનાં હજારો વરસોના આપણા ઇતિહાસમાં એક પણ પક્ષીએ પોતાના પેટમાં રહેલ બાળકનું ખૂન કર્યું છે ખરું ? પોતાની પત્નીને રસ્તે રખડતી કરી દીધી છે ખરી ? પોતાનાં મા-બાપ માટે વૃદ્ધાશ્રમ ખોલ્યા છે ખરા ? જો ના, તો તમને બધાયને એવો સડેલો વિચાર આવ્યો જ શી રીતે ?' ગડરાજના લાલ થઈ રહેલ ચહેરાને જોઈને ત્યાંથી તુર્ત જ કૉલેજીયન કાગડો, રખડેલ પોપટ, નઘરોળ ચકલો, બદમાશ હોલો વગેરે પક્ષીઓ ઊડીને ભાગી ગયા.