________________
જંગલમાં એક ઘટાદાર વૃક્ષની છાયામાં સૂનમૂન થઈને બેઠેલા હંસને જોઈને વૃક્ષની ડાળી પર બેઠેલ કોયલ સ્તબ્ધ થઈ ગઈ. ઊડીને એ તુર્ત નીચે આવી.
આપ અહીં ?' ‘અહીં ન આવે તો બીજે જાઉં ક્યાં?'
આપનું સ્થાન અહીં ન હોય, કાં તો માનસરોવર હોય અને કાં તો નિર્મળ જળથી ભરેલ સરોવર હોય. આ જંગલ તો અમારા જેવા પંખીઓ માટે છે.' ‘તારી વાત સાચી પણ હમણાં સત્તાસ્થાને જે પણ સરકારો આવે છે એ તમામને મત્સ્યોદ્યોગના વિકાસમાં જ રસ છે. જળનાં જે પણ સ્થાનો છે એ તમામ સ્થળોમાં અત્યાર સુધી માત્ર દરિયા અને નદીઓ જ હતી પરંતુ હવે એણે સરોવરો પર પણ નજર બગાડી છે. એનાં ટેન્ડરો એ મંગાવી રહી છે. તમામ સરોવરો હવે માછલાંઓથી ગંધાઈ રહ્યા છે. હું તો મોતીનો ચારો ચરનાર હંસ છું. માછલાંઓ વચ્ચે શું રહી શકે ? હવે તો જંગલ એ જ ઝિંદાબાદ છે !
કે
કામ
કરી