Book Title: Pankhini pankhe vivekni Aankhe
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 45
________________ ૪૫ પોપટ અને કબૂતર, બંનેનાં મુખ પર ગહરી ચિંતા હતી. પોપટ કબૂતરને કહી રહ્યો હતો. 'શું કરશું આ માનવજાતનું ? આપણા સમસ્ત પંખીજગતનું એક માત્ર આશ્રયસ્થાન છે વૃક્ષો અને આ માનવજાત દેશના વિકાસના નામે લાખો વૃક્ષોનો ખાત્મો રોજ બોલાવી રહી છે. એને રસ્તાઓ પહોળા કરવા છે. એ રસ્તાઓ પર એ ગાડીઓ અને ટ્રકો, સ્કૂટરો અને સાઇકલો દોડાવવા માગે છે. પોતાના વ્યભિચારોને પોષવા એ વૉટરપાર્કો-રિસોર્ટો અને હવાખાવાનાં સ્થળોની મુલાકાતો લેવા માગે છે અને એ માટે એને હાઈ-વે વધુ અનુકૂળ પડે છે. અને હાઈ બનાવતા રહેવા માટે એ લાખો વૃક્ષોની છાશવારે ને છાશવારે કત્લેઆમ કરતી રહે છે. કોણ સમજાવે એ માલસજાતને કે એક બંગલો તૂટે છે ત્યારે તમારું એક કુટુંબ જ બે-ઘર થાય છે પણ એક વૃક્ષ તૂટે છે ત્યારે તો પંખીઓનાં કેટલાંય કુટુંબો બે-ઘર થઈ જાય છે ! જો આમ જ વૃક્ષો કપાતાં રહેશે તો આપણા સહુના અસ્તિત્વનું થશે શું ? આપણે ઉપવાસ પર ઊતરી જઈએ તો કેમ ? ૪૫

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100