________________
નારે પ્રભુ ! નહિ માનુ અવરની આણુ
૧૦૫
એનેા સ્વીકાર કર્યો છે. કારણ કે જ્યાં હિંસા જ કરવાની છે, ત્યાં કર સિવાય કાણુ હેાય ? માટે અમારે એ પ્રમાણુ નથી. એટલું જ નહિ, પણ એમાં પૂર્વાપરના વિરોધ પણ આવે છે. ત્યાં કીધું છે કે—
}
न मांसभक्षणे दोषो न मद्ये न च मैथुने । प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला ॥
માંસભક્ષણમાં કાઇ દ્વેષ નથી. મદ્ય પીવામાં ને મૈથુન સેવવામાં પણ કોઇ દોષ નથી, કેમકે એ તેા પ્રાણીની પ્રવૃત્તિ છે. પણ એમાંથી નિવૃત્તિ લેવી એ મહાફળવાળી છે.
હુવે જો આ બધી ભૂતની પ્રવૃત્તિ હોય, તે પછી એમાંથી નિવૃત્તિ થવી, એ મહાફળવાળી કઈ રીતે હાય ? આમ આમાં પૂર્વાપર વિરોધ પણ આવે છે. માંસ ન ખાય તે પાપ લાગે, એવુ પણ એ આગમમાં મતાવ્યુ છે. માટે જ હે પ્રભો ! મારે એ પ્રમાણુ નથી. મારે તે તારુ વચન જ પ્રમાણ છે.
આવા પ્રભુના વચનમાં જિજ્ઞાસા-શુશ્રુષા રાખે, એવે જે જીવ હાય, તે જ સાચા શ્રોતા કહેવાય. આવા શ્રાદ્ધ શ્રોતા, અને બુદ્ધિમાન વકતા મળે ત્યાં લાભ જ થાય.
·
ત્યારે હવે અહીં કરવાનું શુ છે? તે પરોપકાર કરવાના છે. કાઇનું પૂરું નથી કરવાનું. અહી જીવાના ચાર ભાગ પાડયા છે. એનું સ્વરૂપ કઈ રીતે છે ? તે અંગ્રે અધિકાર....