________________
૧૫૮
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને પછી જ દયા પાળી શકીશ. પછી જ ચારિત્રધર્મ આચરી શકીશ. પણ જે તને જ્ઞાન નહિ હેય, તે તું કેની દયા પાળી શકીશ?
जो जीवेवि वियाणेइ, अजीवे वि वियाणइ । जीवाजीवे वियाणंतो, सो हु नाहीइ संजमं ।'
જ્યારે આત્મા સમજે કે-“આ જીવ છે. આની દયા કરવી જોઈએ. અને આ થાંભલે અજીવ છે. આવું બધું જાણ્યું હોય તે દયા પાળી શકાય. જે થાંભલાને ય જીવ માની લે તે માટે એ બધી સમજણ હોય, તે જ આત્મા સંયમનું પરિપાલન કરી શકે છે. એ માટે જ્ઞાનને-મૃતધર્મને મુખ્ય કહ્યો છે.
પણ એ અમુક અપેક્ષાએ. કારણકે–ગમે તેટલું જ્ઞાન હશે, તેય છેવટે ચારિત્રધર્મ વિના મેક્ષ નથી મળવાને. અમને તે જ્ઞાનાભ્યાં મોક્ષ – જ્ઞાન અને કિયા-બંને હોય તે જ મેક્ષ છે. એકલું જ્ઞાન ભણવાથી કે એકલી ક્રિયા કરવાથી મેક્ષ ન મળે.
માટે જ કહ્યું છે કે મારા પ્રથમ વર્ષ –ગમે તેટલું ભર્યો હોય, ગમે તે વિદ્વાન ને પંડિત હય, પણ આચાર
જ્યાં સુધી ન હોય ત્યાં સુધી ધર્મ નથી. તને ગમે તેવું ઔષધનું જ્ઞાન હોય કે “આ ઔષધથી વાયુ મટે, આનાથી પિત્ત નાશ પામે, આ ઔષધથી આ રોગ જતો રહે, આમ ઘણું જ્ઞાન હોય, પણ એકલાં એ જ્ઞાનથી શું વળે ? જે તું એ ઔષધનું સેવન ન કરે તે એ રોગ નહિ મટે. માટે આચાર-ક્રિયા પણ જોઈએ જ. કર્મયોગ પહેલે જોઈએ.