Book Title: Karpur Mahek
Author(s): Kapurchand Varaiya
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 17
________________ કપૂર મહેક-૭ નમત સકળ ઈંદ ચંદ જાકું ધ્યેયરૂપ, જાનકે મુનીંદ યાકું ધ્યાન મજ્ઞ ધારહિ; સુરતિ નિરતિમેં સમાય રહે આઠુ જામ, સુરભિ ન જિમ નિજ સુતકું વિસારહિ. લીન હોય પીનતા પ્રણવ સુખકારી લહે, દહે ભવબીજ વિષે વાસ પરજારહિ, ચિદાનંદ પ્યારે શુભ ચેતના પ્રગટ કર, એસો ધ્યાન ધર મિથ્યાભાવકું વિસારહિ. ૨ મુખમાંહિ રામ` હરામમાંહિ મન ફિરે, ગિરે ભયકૂપમાંહિ કર દીપ ધારકે; વિષય વિકારમાંહિ રાગી મુખ ઈમ કહે, મેં તો હું વિરાગી માલા તિલક જ્યું ધારકે. જે ૐકારને બધા ઈંદ્રો અને ચંદ્રો નમે છે, જેને ધ્યેયરૂપે જાણીને મુનીન્દ્રો ધ્યાનની મધ્યે ધારણ કરે છે, ધ્યાનની આસક્તિમાં આઠે પહોર સમાઈ રહે છે-મગ્ન રહે છે, જેવી રીતે ગાય પોતાના વાછરડાને ભૂલતી નથી. સુખકારી એવા પ્રણવ-ૐકારને મેળવીને તેમાં લીન થાય છે, અને પુષ્ટ થાય છે, સંસારના બીજભૂત વિષયોને બાળી નાંખે છે, અને વાસનાઓને પ્રજાળે છે-બાળી નાંખે છે, હે પ્યારા ચિદાનંદ ! શુભ ચેતનાને પ્રગટ કરી એવું ધ્યાન ધર કે જેથી મિથ્યાભાવને વિસારી દેવાય. ૨ જેઓ મુખથી રામ બોલે છે-ભગવાનનું નામ બોલે છે, અને મન અનીતિમાં ફરતું હોય, તેઓ હાથમાં દીવો લઈને સંસારરૂપી કૂવામાં પડે છે. જેઓ વિષયવિકારોમાં રાગી થઈને, માળા અને તિલક ધારણ કરીને મુખેથી એમ કહે છે કે ‘હું વિરાગી છું’ તેઓ પણ સંસારરૂપી કૂપમાં પડે છે. યોગની યુક્તિ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116