________________
૨૪
કપૂર મહેંક-૭ રોમ રોમ દીઠ પોણે બે બે રોગ તનમાંહે, સાડે તીન કોડ રોમ કાયામેં સમાયે હે; પાંચ ક્રોડ અડસઠ લાખ નિન્નાણુ હજાર, છસેથી અધિક પંચતાલી રોગ ગાયે હે. એસો રોગ સોગ ઓર વિજોગકો સ્થાન જામે, મૂઢ અતિ મમતાકું ધારકે લોભાયો છે; ચિદાનંદ યાકો રાગ ત્યાગ કે સુજ્ઞાની જીવ, સાચો સુખ પાય અવિનાશી જ્યે કહાયો હે. ૪૫ યોહિ આજકાલ તોરે કરત જનમ ગયો, લહ્યો ન ધરમકો મરમ ચિત્ત લાયકે; સુદ્ધ-બુદ્ધ ખોઈ એસે માયામેં લપટ રહ્યો, ભયો હે દીવાનો તું ધતુરો માનું ખાય કે. ગહેગો અચાન જેસે લવાયું સેચાન તેમેં, ધરી પલ છીનમાં જ રવિસુત આયકે;
આ જીવના શરીરમાં એક એક રૂવાંટે પોણા બે પોણા બે રોગ રહેલા છે, એક શરીરમાં સાડા ત્રણ ક્રોડ રૂવાંટા છે, આ રીતે એક શરીરમાં પાંચ ક્રોડ, અડસઠ લાખ, નવાણું હજાર, છસો અને પિસ્તાલીશ રોગ કહ્યા છે, જે શરીર આવા રોગ, શોક અને વિયોગનું સ્થાન છે, તે શરીરમાં મૂઢ જન અતિ મમતા ધારણ કરી મોહ્યો છે. તે ચિદાનંદ ! સુજ્ઞાની જીવ! આ શરીરનો રાગ છોડી દઈને સાચું સુખ પ્રાપ્ત કરે છે, જે સુખને અવિનાશી કહ્યું છે. ૪૫.
હે જીવ ! “હું આજે ધર્મ કરીશ, કાલે ધર્મ કરીશ” એમ કરીને તેં તારો જન્મારો ફોગટ ગુમાવ્યો, ધર્મના મર્મને ચિત્તમાં વિચારી ન મેળવ્યો. તે તારી શુદ્ધિ અને બુદ્ધિ ગુમાવી તું