________________
૨
૫
સવૈયા-સાર્થ
ચિદાનંદ કાચકે શકલ કાજ ખોયો ગાઢ, નરભવ રૂ૫ રૂડો ચિંતામણિ પાયકે. ૪૬ લવસત્તમિક દેવ જાણે ખટ દ્રવ્ય ભેવ, પરકી ન કરે સેવ એસે પદ પાયો છે; સાગર પ્રમિત છે તે તીસ જાકુ આયુ થિતિ, બોધરૂપ અંતર સમાધિ લક્ષ લાયો છે. અલ્પ હે વિકાર અરુ સુખ તે અનંત જાકું, સૂત્રપાઠ કરી એસો પ્રગટ બતાયો હે; ચિદાનંદ એસો સુખ તેહુ જિનરાજ દેવ, ભાવના પ્રથમ મેં અનિત્ય દરસાયો હે. ૪૭ વનિતાવિલાસ દુઃખકો નિવાસ ભાસ પર્યો,
જંબૂસ્વામી ધર્યો તાતેં મનમેં વિરાગ ન્યું; માયામાં લપટાઈ રહ્યો. તું ધતૂરો ખાઈને ગાંડો બન્યો. જેમ સિંચાણો પક્ષી પક્ષીનાં બાળકોને પકડે તેમ અચાનક ક્ષણવારમાં જ (રવિસુત5)યમ-કાળ આ જીવને પકડશે. હે ચિદાનંદ ! આ ચિંતામણિરત્ન સમાન સુંદર મનુષ્યજન્મ પામીને કાચના ટુકડાને માટે નકામો ગુમાવ્યો. ૪૬
લવસત્તમદેવ-સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવ કે જેઓ પદ્ધવ્યના ભેદોને જાણે છે, કાઈની સેવા ન કરે એવા અહિમિંદ્ર પદને પામ્યા છે, જેઓના આયુષ્યની સ્થિતિ તેત્રીશ સાગરોપમ છે, જેઓ બોધરૂપ અંતરસમાધિ આત્મસમાધિના લક્ષ્યને પામ્યા છે, જેઓનો વિકાર અતિઅલ્પ છે, જેઓનું સુખ અનંત છે, જેઓ હંમેશાં સૂત્રપાઠ-ધર્મગ્રંથોનું વાંચન કરે છે એમ બતાવ્યું છે. હે ચિદાનંદ ! આવાં તે સુખોને પણ શ્રી જિનેશ્વરદેવે પ્રથમ અનિત્યભાવનામાં અનિત્ય બતાવેલ છે ૪૭