________________
૩૮
કપૂર મહેંક-૭ સમતારસસાયર સો સંત, તજત માન તે પુરુષ મહંત; શૂરવીર જે કંદ્રપ “વારે, કાયર કામ આણા શિરધારે. ૧૧ ૪૦અવિવેકી નર પશુ સમાન, માનવ જસ ઘટ ૪ આતમજ્ઞાન; દિવ્યદૃષ્ટિધારી જિનદેવ, કરતા તાસ ઇંદ્રાદિક સેવ. ૧૨ બ્રાહ્મણ તે જે બ્રહ્મપિછાણે, ક્ષત્રી કર્મરિપુ જીવશ આણે; વૈશ્ય હાણિ વૃદ્ધિ જે લખે, શુદ્ર ભક્ષ અભક્ષ જે ભખે. ૧૩ અથિરરૂપ જાણો ૪૭સંસાર, થિર એક જ જિનધર્મ હિતકાર; ૪૯ઇંદ્રિયસુખ છિલ્લરજલ જાણો, પશ્રમણ અતીદ્રિ અગાધ વખાણો.૧૪
૩૬ જે સમતારસનો સમુદ્ર છે, તે સંત કહેવાય. ૩૭ જે માનનો ત્યાગ કરે, તે પુરુષ મહંત કહેવાય. ૩૮ જે મુનષ્ય કામદેવને વારે છે, દૂર કરે છે, તે શૂરવીર છે. ૩૯ જે કામદેવની આજ્ઞા મસ્તકે ધારે છે, તે કાયર કહેવાય છે. ૧૧
૪૦ વિવેક વગરનો માણસ, પશુ સમાન છે. ૪૧ જેના હૈયામાં આત્મજ્ઞાન છે, તે માનવ કહેવાય. ૪૨ જે દિવ્યદૃષ્ટિનેકેવળજ્ઞાનને ધારણ કરે છે, તે જિનેશ્વર દેવ કહેવાય. તેઓની સેવા ઇંદ્ર વગેરે પણ કરે છે. ૧૨
૪૩ જે આત્માને ઓળખે, તે બ્રાહ્મણ કહેવાય. ૪૪ જે કર્મરૂપી શત્રુઓને વશમાં લાવે, તે ક્ષત્રિય કહેવાય. ૪૫ જે હાનિ અને વૃદ્ધિને સમજે, તે વૈશ્ય કહેવાય. ૪૬ જે ભક્ષ્યઅભક્ષ્ય બધું ખાય, તે શૂદ્ર કહેવાય. ૧૩
૪૭ આ સંસારને અસ્થિર રૂપે જાણો. ૪૮ હિતને કરનાર શ્રી જિનધર્મને એક સ્થિરરૂપે જાણો. ૪૯ ઇંદ્રિયના સુખને છિલ્લર જળરૂપ જાણો. ૫૦ જે ઇંદ્રિયાતીત શ્રમણ છે, તેને અગાધ વખાણો. ૧૪