________________
४८
Íર મહેક-૭ કરમનકી જર રાગ હે, રાગ જરે જર જાય; પરમ હોત પરમાતમા, વો હી સુગમ ઉપાય. ૧૮ કહેલું ભટકત ફિરે, સિદ્ધ હોને કે કાજ; રાગ દ્વેષકું ત્યાગ દે, વો હી સુગમ ઇલાજ. ૧૯ પરમાતમ-પદકો ધની, રંક ભયો વિલ લાય; રાગ-દ્વેષકી પ્રીતિસે, જન્મ અકારથ જાય. ૨૦ રાગ-દ્વેષકી પ્રીતિ તુમ, ભૂલ કરો જન પંચ; પરમાતમપદ ડાંકકે, તુમ હિ કિયો તિરયંચ ૨૧ તપ જપ સંજય સબ ભલે, રાગ-દ્વેષ જો નાંહિ; રાગ-દ્વેષકે જાગતે, એ સબ ભએ વૃથા હિ. ૨૨
કર્મની જડ (મૂળ) રાગ છે, રાગ બળે તો કર્મ ખરી જાય છે-નાશ પામે છે. અને આત્મા શ્રેષ્ઠ પરમાત્મા થાય છે, અને તે જ તેનો સુગમ ઉપાય છે. ૧૮
હે જીવ ! તું સિદ્ધ થવા માટે શા માટે ભટકતો ફરે છે, રાગ-દ્વેષનો ત્યાગ કર, તે જ સિદ્ધ થવાનો સુગમ ઉપાય છે. ૧૯
આ આત્મા પરમાત્મપદનો ધણી છે, રાગ-દ્વેષની પ્રીતિ કરવાથી રંક બનીને દુઃખ પામે છે, અને તેનો જન્મ વ્યર્થ જાય છે. ૨૦ | હે માનવ ! તમે ભૂલથી પણ જરાય રાગ-દ્વેષની પ્રીતિ ન કરો. જે રાગ-દ્વેષે તમારા પરમાત્મપદને ઢાંકી દઈને તમને તિર્યંચ બનાવેલ છે. ૨૧
જો આત્મામાં રાગ-દ્વેષ ન હોય તો તપ, જપ, સંયમ એ બધા સારા છે, પણ જો રાગ-દ્વેષ આત્મામાં જાગતાં હોય તો તે બધા નકામા થાય છે. ૨૨