Book Title: Karpur Mahek
Author(s): Kapurchand Varaiya
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 83
________________ ૬૮ કપૂર મહેક-૭ પંચમ ગતિ વિણ જીવકું સુખતિહું લોકમઝાર; ચિદાનંદ નવિ જાણજો, એ મોટો નિરધાર. ૨૪ ઈમ વિચાર હિરદે કરત, જ્ઞાન ધ્યાન રસલીન; નિરવિકલ્પ રસ અનુભવી, વિકલ્પતા હોય છિન. ૨૫ નિરવિકલ્પ ઉપયોગમેં, હોય સમાધિરૂપ; અચલજ્યોતિ ઝલકે તિહાં, પાવે દરસ અનૂપ. ૨૬ દેખ દરસ અભુત મહા, કાલ ત્રાસ મિટ જાય; જ્ઞાનયોગ ઉત્તમ દિશા, સરુ દીએ બતાય. ૨૭ જ્ઞાનાલંબન દૃઢગ્રહી, નિરાલંબતા ભાવ; ચિદાનંદ' નિત આદરો, એહિ જ મોક્ષ ઉપાવ. ૨૮ પાંચમી ગતિ-મોક્ષ સિવાય જીવને ત્રણેય લોકની અંદર સુખ નથી' હે ચિદાનંદ ! આત્મા ! આ મોટો નિર્ધાર-નિશ્ચય જાણજો. ૨૪ આ રીતે હૃદયની અંદર વિચાર કરતાં આત્મા જ્ઞાન અને ધ્યાનના રસમાં લીન થાય છે, જ્યારે નિર્વિકલ્પદશાના રસનો અનુભવી થાય છે, ત્યારે વિકલ્પપણું નાશ પામે છે. ૨૫ આ જીવ નિર્વિકલ્પ ઉપયોગમાં સમાધિરૂપ થાય છે, ત્યારે આત્મામાંથી અચલ જ્યોતિ પ્રગટ થાય છે, અને અનુપમ આત્માદર્શન પ્રાપ્ત કરે છે. ૨૬ આવું અદ્ભુત આત્મદર્શન થવાથી મહાકાલ-મરણનો ત્રાસ મટી જાય છે. જ્ઞાનયોગ એ ઉત્તમ દિશા છે, અને સદ્ગુરુ એ જ્ઞાનયોગ બતાવે છે, ૨૭ દઢપણે જ્ઞાનનું આલંબન લઈ જીવ નિરાલંબન ભાવ પામે છે, હે ચિદાનંદ ! આત્મા ! એ જ્ઞાનરૂપ આલંબનનો હંમેશાં આદર કરો, મોક્ષનો સાચો ઉપાય એ જ છે. ૨૮

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116