________________
22
કપૂર મહેક-૭ (દોહા). શરદ પુરણ નિધિ ચંદ્રમો, સંવત્સર (૧૯૦૬) સુખકાર; ગૌતમ કેવળજ્ઞાનકો, માસ દિવસ ચિત્ત ધાર. ૩૫ ભાવનગર ભેટે સહિ, શ્રી ગવાડી પ્રભુ પાસ; ચિદાનંદ' તસ કૃપાથકી, સકળ ફળી મન આસ. ૩૬ યતિધર્મ બત્રીશી-સંજમ બત્રીશી
દોહા ભાવ-યતિ તેહને કહો, જિહાં દશવિધ યતિધર્મ કપટ-ક્રિયામાં માહાલતા, મહીયા બાંધે કર્મ. ૧ લૌકિક લોકોત્તર ક્ષમા, દુવિધ કહી ભગવંત; તેહમાં લોકોત્તર ક્ષમા, પ્રથમ ધર્મ એ તંત. ૨
વિક્રમ સંવત ૧૯૦૬ ના ગૌતમસ્વામીના કેવળજ્ઞાનના દિવસે કારતક સુદિ ૧ ના દિવસે ભાવનગરમાં શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવંતને ભેટ્યા, અને તેમની કૃપાથી સર્વ મનની આશા ફળી એમ શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે.
ઈતિ શ્રી ચિદાનંદજીકૃત દયાછત્રીશી-સાર્થ યતિધર્મ બત્રીશી-સંજમ બત્રીશી-અર્થ
જેનામાં દશ પ્રકારના (ક્ષમા વગેરે) યતિધર્મ હોય છે, તેને ભાવયતિ-ભાવ સાધુ કહેવા. જેઓ કપટ-ક્રિયામાં મહાલે છે-રાચે છે તે મોટાં કર્મ બાંધે છે. ૧
ભગવંતે (૧) ક્ષમા બે પ્રકારની કહી છે. ૧ લૌકિક અને ૨ લોકોત્તર. તેમાં લોકોત્તર ક્ષમા એ પ્રથમ યતિધર્મ છે. ૨