________________
દયા છત્રીશી-સાર્થ
૯૭ વિણ દીવું અજવાળું થાય, કીડીના દરમાંહિ કુંજર જાયે.
કવિઓ૦ ૪ વરસે અગ્ની ને પાણી દીપે, કાયર સુભટ તણા મદ જીપે.
કવિઓ૦ ૫ તે બેટીએ બાપ નિપાયો, તેણે તાસ જમાઈ જાયો,
કહિયો) ૬ મેહ વરસતાં બહુ રજ ઉડે, લોહ તરે ને તરણું બુડે.
કહિયો) ૭
દયારૂપી ધર્મ પ્રાપ્ત થાય ત્યારે વગર દવાએ અવિરતિ રૂપી અંધકાર દૂર કરવા માટે સંવરરૂપી અજવાળું થાય. વિરતિરૂપી કીડીના દરમાં સંયમરૂપી હાથી જાય છે-પ્રવેશ કરે છે. ૪
કર્મરૂપી અગ્નિ વરસે વરસવા માંડે-ઓછા થાય, તેથી ક્ષમારૂપી પાણી દીપે-અજવાળું કરે. સંસારથી કાયર એવા પુરુષો કર્મરૂપી સુભટોના અભિમાનને જીતે છે. (અથવા સંસારથી કાયર પુરુષોના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા મદ નાસવા લાગે છે.) ૫
તે દયારૂપી પુત્રીથી શુભ ધ્યાનરૂપી પિતા ઉત્પન્ન થાય છે, એ ધ્યાનથી જ્ઞાનરૂપી જમાઈનો જન્મ થાય છે. ૬
જ્ઞાનરૂપી મેઘ વરસવાથી અજ્ઞાનરૂપી રજ અથવા કર્મરૂપી રજ ઊડી જાય છે-જતી રહે છે-નાશ પામે છે. (લોહ તરે-) કર્મથી ભારે એવા જીવ તરે-અધર ને અધર રહેતેને જ્ઞાનનો સ્પર્શ થાય જ નહિ (તરણું બૂડે-) તરણા જેવા હળુકર્મી જીવો એ જ્ઞાનમાં બૂડે છે-લીન થાય છે. ૭