________________
દયા છત્રીશી-સાર્થ
૯૯ શ્રી નયવિજયવિબુધને સીસે, કહીહરિઆલી મનહજગીશે.
કહિયો. ૧૩ એહરિઆલીજેનર કહેશ્ય, વાચક“જશ'જંપેતે સુખલહેશ્ય.
કહિયો૦ ૧૪
શ્રી નવિજયજી પંડિતના શિષ્ય આ હરિઆળી મનના આનંદથી કહી છે. ૧૩
આ હરિઆળી જે મનુષ્ય કહેશે, વાચક શ્રી યશોવિજયજી કહે છે કે : “તે મનુષ્ય સુખ પામશે.” ૧૪
એક પ્રતમાં નીચે પ્રમાણે ભાવાર્થ આપેલ છે ૧ નારી તે ચેતના. બે પિતા તે જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. ૨ કીડી તે નિગોદ. હાથી તે વ્યવહારરાશિ. ૩ હાથી તે આત્મા, ને સસલો તે કર્મ. ૪ દવા વિના અજવાળું થાય, ચેતન મોહગ્રસ્ત ન થાય ત્યારે. ૫ કીડી તે નિગોદ. હાથી તે આત્મા.
અગ્નિ વરસે, તે અગ્નિ સરખાં કર્મ. ૭ કષાય પાણી ધારે તે દીપે. ૮ વિષય-કષાય તણા ભયથી કાયર થયેલો મોહસુભટને જીતે. ૯ બાપ તે ઉપયોગ, તેણે આત્મારૂપ જમાઈ જાણ્યો. ૧૦ સ્નેહરૂપ મેહ વરસતાં કર્મરૂપ રજ ઊડે. ૧૧ જ્ઞાનવંત બલિષ્ઠ (તે) લોહ જેવા તરે. ૧૨ તરણા સરખા વિષયલાલચી બૂડે.