________________
કપૂર મહેક-૭ તેલ ફિરે ને ઘાણી પીલાએ, ઘરટી દાણે કરીય દલાયે.
કહિયો, ૮ બીજ ફલે ને શાખા ઉગે, સરોવર આગનેં સમુદ્ર ન પૂગે.
કહિયો) ૯ પંક ઝરે ને સરવર જામે, ભમે માણસ તિહાં ઘણે વિસામે.
કહિયો, ૧૦ પ્રવહણ ઉપરિ સાગર ચાલે, હરિણતણે બળે ડુંગર હાલે.
કહિયો૦ ૧૧ એનો અર્થ વિચારી કહિયો, નહિતર ગર્વમ કોઈ ધરિયો.
કહિયો) ૧૨ તેલ સરખા કર્મ ફરે, તેના સમુદાયથી પ્રમાદથી ઘાણી સરખી ચેતના પિલાય. કર્મરૂપી દાણાથી ચેતનારૂપી ઘંટી પ્રમાદથી પિલાય. ૮
બીજ-બોધિબીજ ફળે અને તેનાથી ક્રિયારૂપ શાખા ઉગે. જ્ઞાનરૂપી સરોવર આગળ સંસારરૂપ સમુદ્ર પહોંચી શકતો નથી. ૯
પ્રમાદરૂપી કાદવ જરી જાય છે, અને આત્મારૂપી સરોવર જામે છે. પ્રમાદરૂપ વિસામે મનુષ્ય સંસારમાં ઘણો ભમે છે. ૧૦
પ્રમાદી જીવનો પ્રવાહણ સરખો જે આત્મા, તે પ્રવહણ સરખા આત્માને નીચે રાખી તેના ઉપર સંસારરૂપી સમુદ્ર ચાલે છે. હરણ સરખાં જે કર્મ તેના બળથી ડુંગર સરખો આત્મા હાલે છે. ૧૧ -
આ હરિઆળીનો અર્થ વિચાર કરીને કહેશો, નહિતર કોઈ ગર્વ ધારણ કરતા નહિ. ૧૨