Book Title: Karpur Mahek
Author(s): Kapurchand Varaiya
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 93
________________ ૭૮ કપૂર મહેક-૭ દયાહું મેં ધરમ ધરમહું મેં દયાભાવ, દયા અરુ ધર્મ તે વિભિન્ન નવિ જાણીએ; બેઠકે સભામેં મિત્ત ધાર ગુરુગમ રીત, પરમ પુનીત દયા ધરમ વખાણીએ; એસો હૈ સિદ્ધાંત સાર કોટિ ગ્રંથકો વિચાર, હિયડેમેં ધાર પરતિત ગાઢી ઠાણિયે; યાંતે પરપ્રાણ નિજ પ્રાણ કે સમાન જાણ, ચિદાનંદ! પ્યારે !ચિત્ત, દયાભાવ આણીએ. ૧૭ ઉપજે ક્યું સિદ્ધ આય, જીવે કોઉ વિષ ખાય, અચળ ચળે સુમેરુ, એહું બાત માનીએ; ઉલટી ધરણી કાસ, નાસ હોય તો હું પણ, હિંસાકે કરત ધર્મ, કબહું ન માનીએ; દયામાં ધર્મ છે, ધર્મમાં દયાભાવ છે, દયા અને ધર્મ એ જુદા જાણવા નહિ. હે મિત્ર ! સભામાં બેસીને ગુરુગમની રીત ધારણ કરો અને પરમ પવિત્ર દયાધર્મને વખાણીએ, દયા એ દરેક સિદ્ધાંતોનો સાર છે, ક્રોડો ગ્રંથનો એ જ વિચાર છે, તેને હૃદયમાં ધારણ કરી તેની પ્રતીતિ ગાઢપણે સ્થાપન કરવી. હે પ્યારા ચિદાનંદ ! બીજાના પ્રાણોને પોતાના પ્રાણ સમાન જાણી ચિત્તમાં દયાભાવ લાવીએ. ૧૭ સિદ્ધ પાછા આવીને ઉપજે, કોઈ ઝેર ખાઈને જીવે, અચળ એવો મેરુપર્વત ચલાયમાન થાય, પૃથ્વી ઉલટી થઈ જાય, આકાશ નાશ પામે (જો કે આવી રીતે કાંઈ થતું નથી) તો પણ હિંસા કરવાથી ધર્મ કયારેય ન માનીએ, જેઓ હિંસામાં ધર્મ માને છે, તેઓ આત્માની હાનિ પામે છે, એવી વાતો કરવાથી “મિથ્યાત્વ ઉદય આવ્યું” એમ જાણીએ. હે પ્યારા

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116