________________
૮૧
દયા છત્રીશી-સાર્થ
તિહકે પદારવિંદ પૂજત સુરેંદવંદ, આનંદકો કંદ તે તો નિશદિન ધ્યાઈએ; તિન્ડહુંકો ધ્યાન પર ઉત્તમ વિવેક કર, ચિદાનંદ આપરૂપ આપમેં સમાઈએ. ૨૧ દયા દયા ભાખે પણ રાખે ન વિવેક હિયે, તે તો નર પ્રગટ પશુ સમાન કહ્યો હૈ; પાવે ન વિવેક જોલોં સિઝે નહિં કાજ તોલો, દયારૂપ ધરમ વિવેકમાંહિ રહા હૈ; જાકે હિરદે વિવેક સોઈ જ્ઞાતા અતિરેક, તિનડું સુતત્ત્વકો સરૂપ સાચો લહ્યો હૈ; તત્ત્વકે સરૂપ બિનજાણે પક્ષપાત તાણે, તે તો મહામોહરૂપ નદિયામેં વહ્યો છે. ૨૨
ધ્યાન કરીએ. તેઓનું ધ્યાન ઉત્તમ વિવેક ધારણ કરી કરીએ. હે ચિદાનંદ ! તેથી આત્મા પોતાના સ્વરૂપમાં સમાઈ જાયસ્વરૂપસ્થ થાય. ૨૧
મુખેથી “દયા, દયા બોલે પણ હૈયામાં જે વિવેક ન રાખે તે મનુષ્ય પ્રગટ પશુસમાન કહ્યો છે, જયાં સુધી વિવેક ન પામે ત્યાં સુધી કાર્ય સિદ્ધ ન થાય. દયારૂપ ધર્મ વિવેકમાં રહ્યો છે, જેઓના હૃદયમાં વિવેક છે, તે અતિશય જ્ઞાની છે. તેમણે ઉત્તમ તત્ત્વનું સ્વરૂપ સાચી રીતે મેળવ્યું છે. તત્ત્વનું સ્વરૂપ જાણ્યા વિના જેઓ પક્ષપાત તાણે છે, તેઓ મહામોહ અજ્ઞાનરૂપ નદીમાં તણાય છે. ૨૨