________________
૭૯
દયા છત્રીશી-સાર્થ
*હિંસામેં ધરમ માન કરતે આતમ હાન, ઐસી બાત કરત મિથ્યાત ઉદ જાનીએ; યાંતે પરપ્રાણ નિજ પ્રાણકે સમાન જાણ, ચિદાનંદ! પ્યારે ! ચિત્ત દયાભાવ આણીએ. ૧૮ દયા દોય ભેદ જાણ ઈતર કર્યું કહી દેવ. સો તો ભેદ સદ્ગુરુ કૃપાસે નીપાઈએ; તાતે સદ્ગુરુ સેવ કિજિએ સુનિત્યમેવ, ધાર એસી ટેવ પ્રેમ પરમ લગાઈએ; સો તો દેવ ધર્મ ગુરુ ઘટમેં નિકટ તેરે; તાકું ખોજવેલું અબ ઓર કહાં જાઈએ ? તિહું તત્ત્વ એક જોય દુવિધા ન ધરે કોય, જ્યોતિરૂપ હોય શુદ્ધ જોતિર્મો સમાઈએ. ૧૯
ચિદાનંદ ! બીજાના પ્રાણોને પોતાના પ્રાણ સમાન જાણી ચિત્તમાં દયાભાવ લાવીએ. ૧૮
દયાના ભેદ દ્રવ્યદયા અને ભાવદયા અથવા સ્વરૂપદયા અને અનુબંધદયા, અને બીજા ભેદ જિનેશ્વરદેવે કહ્યા છે, તે તું જાણ. અને એ ભેદો સગુરુની કૃપાથી જાણી શકાય છે. તેથી હંમેશાં સદ્ગુરુની સેવા કરીએ. પરમરસપૂર્વક પ્રેમપૂર્વક એવી ટેવ ધારણ કરવી. તે દેવ-ગુરુ અને ધર્મ તારા આત્માની પાસે જ છે, તેઓને શોધવાને બીજે શા માટે જઈએ ? જ્યારે ત્રણે ય તત્ત્વ એકરૂપે જોવાય અને બીજી કોઈ દુવિધા ન ધારણ કરે, ત્યારે શુદ્ધ જયોતિર્મય આત્મા જ્યોતિમાં સમાઈ જાય છે. ૧૯
* આ નિશાનીવાળાં બે પદ લખેલી પ્રતમાં ન હોવાથી નવાં બનાવીને મૂકેલાં છે. અસલ કર્તાના કરેલાં તે પદ નથી.