Book Title: Karpur Mahek
Author(s): Kapurchand Varaiya
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 95
________________ ૮૦ કપૂર મહેંક-૭ દયાકે સમાન જગ સાધના ન આનજાન, દયાહું પ્રધાન જગ સંત યું કરતુ હૈ; જીવદયા કાજ સહુ ત્યાગ રાજકો સમાજ, દેવ જિનરાજ પંચ વ્રત ક્યું ગહતુ હૈ પ્રબળ પ્રચંડ ઘોર બાવીસ પરિસા ચોર તીનહુકો ત્રાસ ભલીભાતમું સહતુ હૈ; છાંડી જગજાલ નિજ શક્તિ સંભાલ, તે તો ચિદાનંદ પ્યારે! શિવરમણી લહતુ હૈ. ૨૦ અભય પ્રધાન દાન કહ્યો જગભાન તે તો, એસો નિકો જ્ઞાન મુનિરાજ ઘેર પાઈએ; મુનિપદ ધારે તે સંભારે આપોઆપ તે તો, કરુણાકો સાગર સિદ્ધાંતમાંહિ ગાઈએ; દયાની સમાન જગતમાં બીજી સાધના ન જાણ. જગતમાં દયા જ પ્રધાન છે. સંતપુરુષો તે દયા કરે છે. શ્રી જિનેશ્વરદેવ જીવદયા માટે સર્વ રાજ્યસમૂહનો ત્યાગ કરી પંચ મહાવ્રત ગ્રહણ કરે છે, પ્રબળ, પ્રચંડ ઘોર બાવીશ પરિષહરૂપી ચોરનો ત્રાસ સારી રીતે સહન કરે છે. તે ચિદાનંદ ! આત્મા ! જગતની જંજાળને છાંડી, પોતાની શક્તિ સંભાળી, તેઓ શિવરમણી પ્રાપ્ત કરે છે. ૨૦ જગભાનુ-તીર્થંકરદેવે અભયદાનને પ્રધાન દાન કહ્યું છે' આવું ઉત્તમ જ્ઞાન મુનિરાજ પાસે પ્રાપ્ત કરીએ. જેઓ મુનિપદ ધારણ કરે છે, તે તો પોતાની જાતે તે દયાને સંભારે છે. માટે તેઓને સિદ્ધાંતમાં કરુણાના સાગર કહ્યા છે. તેઓના ચરણકમળને દેવેંદ્રોનો સમૂહ પૂજે છે, આનંદના કંદ એવા તેઓનું હમેશાં

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116