________________
કપૂર મહેક-૭ થોડી વેલામાંહે જસ, બહત અધિક સ્વર શ્વાસ; આયુ છીજે બિલ ઘટે, રોગ હોય તન તાસ. ૪૪ અધિકા નાંહિ બોલીએ, નહીં રહીએ પડ સોય; અતિ શીધ્ર નવિ ચાલીએ, જો વિવેક મન હોય. ૪૫
થોડા વખતમાં જેને ઘણા વધારે શ્વાસ-સ્વર ચાલે તેનું આયુ ક્ષીણ થાય છે, બળ ઘટે છે, અને તેના શરીરમાં રોગ થાય છે. ૪૪
જો મનમાં વિવેક હોય તો વધારે બોલવું નહિ, સૂતા પડ્યાં રહેવું નહિ, અતિ ઉતાવળા ચાલવું નહિ. ૪૫