________________
૫૧
પરમાત્મા છત્રીશી-સાર્થ
પરમાતમકે ભેદ દ્રય, નિકલ સકલ પરવાન; સુખ અનંતમેં એકસેં, હવકે દ્રવ્ય થાન. ૩૩ ભાઈ એહ પરમાતમા, સોહે તુમમેં યાહિ; અપની શક્તિ સંભારકે, લિખાવત દે તાંહિ. ૩૪ રાગ-દ્વેષકું ત્યાગકે, ધરી પરમાતમ ધ્યાન; ચું પાવે સુખ શાશ્વત, ભાઈ એ કલ્યાન. ૩૫ પરમાતમ-છત્રીસીકો, પઢિયો પ્રીતિ સભાર; ચિદાનંદ' તુમ પ્રતિ લિખી, આતમકે ઉદ્ધાર. ૩૬
પરમાત્માના બે ભેદ છે, (૧) નિષ્કલ અને (૨) સકલ. જે (પરવાન-)કર્મ સહિત છે, તે નિષ્કલ છે. જે અનંત સુખના સ્થાન-મોક્ષમાં જે આત્મદ્રવ્ય રહેલ છે, તે સકલ પરમાત્મા છેસિદ્ધ પરમાત્મા છે. ૩૩
હે ભાઈ ! આ આત્મા એ જ પરમાત્મા છે અને તે તું જ છે. પોતાની શક્તિને સંભારીને તે પરમાત્માને તું ઓળખી લે. ૩૪
- રાગ-દ્વેષનો ત્યાગ કરી, પરમાત્મપદનું ધ્યાન કરી, શાશ્વત સુખને પ્રાપ્ત કર. હે ભાઈ ! એ જ સાચું કલ્યાણ છે. ૩૫
શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે કે : “આ પરમાત્માછત્રીશીને પ્રીતિસહિત કહી, અને તમારા આત્માના ઉદ્ધાર માટે લખી”. ૩૬
ઇતિ શ્રી ચિદાનંદજી કૃત પરમાત્મા છત્રીશી-સાથે સમાપ્ત