________________
અધ્યાત્મ બાવની-સાર્થ
(બહિરાત્મ સ્વરૂપ)
પુદ્ગલસે રાતો રહે, જાને એહ નિધાન;
તસ લાભે લોભે રહ્યો, બહિરાતમ અભિધાન. ૧૫
9.
(અંતરાત્મ-લક્ષણ)
પુદ્ગળ ખળ સંગી પરે, સેવે અવસર દેખ; તનુ અશકત જ્યું લક્કડી, જ્ઞાન ભેદ પદ લેખ. ૧૬ બહિરાતમ તજ આતમા, અંતર આતમ રૂપ; પરમાતમને ધ્યાવતાં, પ્રગટે સિદ્ધ સરૂપ. ૧૭ પુદ્ગલ ભાવ રુચિ નહિ, તાપેં રહે ઉદાસ; સો આતમ અંતર લહે, પરમાનંદ પ્રકાશ. ૧૮ સિદ્ધસ્વરૂપી જો કહે, કછુ ન દેખે રૂપ; અંતરદૃષ્ટિ વિચારતાં, એસેં સિદ્ધ અનુપ. ૧૯
૫૫
જે પુદ્ગલમાં રક્ત રહે છે, પુદ્ગલને જ જે નિધાન માને છે, અને પુદ્ગલના લાભે લોભી રહે છે, તેનું નામ બહિરાત્મા
૧૫
જે દુર્જનના સંગની જેમ અવસર દેખીને પુદ્ગલને સેવે છે, જેમ શરીરથી અશકત માણસ લાકડીનો ટેકો લે છે, તેમ ભેદ જ્ઞાનથી પોતાનું પદ ઓળખી પુદ્ગલને સાક્ષીરૂપે માને છે. ૧૬
બહિરાત્માનો ત્યાગ કરી, અંતરાત્મા બની, ૫રમાત્માનું ધ્યાન કરવાથી પોતાનું સિદ્ધસ્વરૂપ પ્રગટ થાય છે. ૧૭
જેને પુદ્ગલભાવની રુચિ નથી, તે પુદ્ગલભાવમાં ઉદાસ રહે છે, તે અંતરાત્મા પરમાનંદના પ્રકાશને મેળવે છે. ૧૮ તે સિદ્ધસ્વરૂપી કહેવાય છે, જે કોઈ રૂપને (પુદ્ગલને) જોતો નથી, અંતરની દૃષ્ટિએ વિચારે છે, તે અનુપમ સિદ્ધ કહેવાય છે. ૧૯
મહેક-૭/૬