Book Title: Karpur Mahek
Author(s): Kapurchand Varaiya
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 78
________________ શ્રી ચિદાનંદજી કૃત હિતશિક્ષા-સાર્થ (ચિદાનંદજીકૃત સ્વરોદયજ્ઞાનના શ્લોક ૩૭૧ થી ૪૧૫) અવસર નિકટ મરણતણો, જબ જાણે બુધલોય; તબ વિશેષ સાધન કરે, સાવધાન અતિ હોય. ૧ ધર્મ અર્થ છે કામ શિવ, સાધન જગમેં ચાર; વ્યવહારે વ્યવહાર લખ, નિહચે નિજ ગુણ ધાર. ૨ મૂરખ કુલ આચારકું, જાણત ધરમ સદીવ; વસ્તુસ્વભાવ ધરમ સુધી, કહત અનુભવી જીવ. ૩ ખેહ ખજાનાકું અરથ, કહત અજ્ઞાની જીત; કહત દ્રવ્ય દરસાવવું, અર્થ સુજ્ઞાની ભીત. ૪ હિતશિક્ષા-અર્થ જયારે પંડિત લોક મરણનો અવસર નજીક જાણે ત્યારે વિશેષ સાધના કરે છે, અને અત્યંત સાવધાન થાય છે. ૧ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર સાધન-પુરુષાર્થ જગતમાં છે, વ્યવહારમાં જીવ વ્યવહારના લક્ષવાળો હોય છે. નિશ્ચયનયથી જીવ પોતાના ગુણોને ધારણ કરનાર હોય છે. ૨ મૂર્ખ માણસ હંમેશાં કુલાચારને ધર્મ માને છે, જ્યારે સારી બુદ્ધિવાળો અનુભવી જીવ વસ્તુના સ્વભાવને ધર્મ કહે અજ્ઞાની જીવ ધનના ખજાનાને અર્થ કહે છે, અને ઉત્તમ જ્ઞાની જીવ છ દ્રવ્યને બતાવનારને અર્થ કહે છે. ૪

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116