________________
શ્રી ચિદાનંદજી કૃત
હિતશિક્ષા-સાર્થ (ચિદાનંદજીકૃત સ્વરોદયજ્ઞાનના શ્લોક ૩૭૧ થી ૪૧૫)
અવસર નિકટ મરણતણો, જબ જાણે બુધલોય; તબ વિશેષ સાધન કરે, સાવધાન અતિ હોય. ૧ ધર્મ અર્થ છે કામ શિવ, સાધન જગમેં ચાર; વ્યવહારે વ્યવહાર લખ, નિહચે નિજ ગુણ ધાર. ૨ મૂરખ કુલ આચારકું, જાણત ધરમ સદીવ; વસ્તુસ્વભાવ ધરમ સુધી, કહત અનુભવી જીવ. ૩ ખેહ ખજાનાકું અરથ, કહત અજ્ઞાની જીત; કહત દ્રવ્ય દરસાવવું, અર્થ સુજ્ઞાની ભીત. ૪
હિતશિક્ષા-અર્થ જયારે પંડિત લોક મરણનો અવસર નજીક જાણે ત્યારે વિશેષ સાધના કરે છે, અને અત્યંત સાવધાન થાય છે. ૧
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર સાધન-પુરુષાર્થ જગતમાં છે, વ્યવહારમાં જીવ વ્યવહારના લક્ષવાળો હોય છે. નિશ્ચયનયથી જીવ પોતાના ગુણોને ધારણ કરનાર હોય છે. ૨
મૂર્ખ માણસ હંમેશાં કુલાચારને ધર્મ માને છે, જ્યારે સારી બુદ્ધિવાળો અનુભવી જીવ વસ્તુના સ્વભાવને ધર્મ કહે
અજ્ઞાની જીવ ધનના ખજાનાને અર્થ કહે છે, અને ઉત્તમ જ્ઞાની જીવ છ દ્રવ્યને બતાવનારને અર્થ કહે છે. ૪