________________
૪૧
પ્રશ્નોત્તરરત્નમાળા-સાર્થ સકળ જગતજનની હે દયા, કરત સહુ પ્રાણીકી મયા; પાલન કરત પિતા તે કહીએ, તે તો ધર્મ ચિત્ત સદ્હીએ. ૨૪ ૭૯મોહ સમાન રિપુ નહીં હોય, દેખો સહુ અંતરગત જોય; સુખમેં મિત્ત સકળ સંસાર, દુઃખમેં મિત્ત નામ આધાર. ૨૫ ડરત પાપથી પંડિત સોય, હિંસા કરત મૂઢ સો હોય; સુખિયા સંતોષી જગમાંહી, જાકું ત્રિવિધ કામના નાંહિ, ૨૬ જાકું તૃષ્ણા અગમ અપાર, તે મ્હોટા દુઃખિયા તનુધાર; થયા પુરુષ જે વિષયાતીત, તે જગમાંહે પરમ અભીત. ૨૭
મરણ સમાન ભય નહીં કોય, પંથ સમાન જરા નવિ હોય; પ્રબળ વેદના “ક્ષુધા વખાણો, વક્ર તુરંગ ઇદ્રી મન આણો. ૨૮
૭૭ સકળ જગતની માતા દયા છે કે જે સર્વ જીવો ઉપર કૃપા કરે છે. ૭૮ “જે પાલન કરે, તે પિતા કહેવાય અને તેવા પિતા તો ધર્મ છે' એમ શ્રદ્ધા કરીએ. ૨૪
૭૯ મોહ સમાન કોઈ શત્રુ નથી તે સર્વ અંતર્ગત જઈને જુઓ. ૮૦ સુખમાં તો સંસારમાં બધાય મિત્રો હોય છે, પણ જે દુઃખમાં આધારરૂપ હોય તે સાચો મિત્ર છે. ૨૫ ( ૮૧ જે પાપથી ડરે, તે પંડિત છે. ૮૨ જે હિંસા કરે છે, તે મૂઢ છે. ૮૩ જે સંતોષી છે, તે જગતમાં સુખી છે. જેને મન, વચન, કાયાથી કોઈ ઈચ્છા નથી. ૨૬
૮૪ જેને ન જાણી શકાય એવી પાર વગરની તૃષ્ણા છે, તે જીવો મોટા દુઃખીયા છે. ૮૫ જે પુરુષ વિષયવિકારથી રહિત હોય તે જગતમાં પરમ અભીત-ભયરહિત છે. ૨૭
મરણ સમાન કોઈ ભય નથી. ૮૭ પંથ (મુસાફરી) સમાન કોઈ જરા નથી. ૮૮ પ્રબળ વેદના તે સુધા-ભૂખ જાણો. ૮૯ વક્ર ઘોડા તે ઇંદ્રિયો અને મન છે, તે જાણો. ૨૮