________________
४०
કપૂર મહેક-૭ ચપળા જેમ ચંચળ નર આય, ખિરત પાન જબ લાગે વાય; છિલ્લર અંજલિ જળ જેમ છિજે, ઈણવિધ જાણી મમત કહા કીજે. ૨૦ ચપળા તિમ ચંચળ ધન ધામ, અચળ એક જગમેં પ્રભુનામ;
ધર્મ એક ત્રભુવનમેં સાર, તન ધન યોવન સકલ અસાર. ૨૧ નરકધાર ૭૩નારી નિત જોણો, તેથી રાગ હિયે નવિ આણો; અંતરલક્ષ રહિત તે અંધ, જાનત નહિ મોક્ષ અરુ બંધ. ૨૨ જે નવિ સુણત સિદ્ધાંત ૭૫વખાણ, બધિર પુરુષ જગમેં તે જાણ; અવસર ઉચિત બોલી નવિ જાણે, તામું જ્ઞાની મૂક વખાણે. ૨૩
૬૯ મનુષ્યનું આયુષ્ય એ વીજળીની જેમ ચંચળ છે. જેમ પવનથી વૃક્ષનાં પાન ખરી જાય અને ખોબામાં રહેલું પાણી જેમ ઓછું થાય-ક્ષય પામે છે, એ રીતે આયુષ્યને જાણી તેની મમતા કેમ કરીએ ? ૨૦
ધન મકાન વગેરે પણ વીજળીની જેમ ચંચળ છે. ૭૦ જગતમાં પ્રભુનું નામ એ જ એક અચળ છે. ૭૧ ધર્મ એ જ એક ત્રણ ભુવનમાં સાર છે. ૭૨ શરીર, ધન, યૌવન વગેરે સર્વ વસ્તુ અસાર છે. ૨૧
૭૩ હંમેશાં નારી નરકનું દ્વાર જાણો, તેથી હૃદયમાં સ્ત્રીનો રાગ ન લાવો. ૭૪ જે અંતરના લક્ષ્યરહિત છે, અને મોક્ષ અને બંધને જાણતો નથી, તેને અંધ જાણો. ૨૨
૭૫ જે સિદ્ધાંત-શાસ્ત્રનાં વ્યાખ્યાનો સાંભળતો નથી, તે પુરુષને જગતમાં બધિર-મ્હરો જાણો. ૭૬ જે અવસરને ઉચિત બોલવાનું જાણતો નથી, તેને જ્ઞાની પુરુષો મૂક-મૂંગો કહે છે. ૨૩