________________
પ્રશ્નોત્તરરત્નમાળા-સાર્થ
નિર્મળ નવપદ ૧૦ધ્યાન ધરીજે, હૃદયશોભા ઇણવિધ નિત કીજે; ''પ્રભુગુણ મુક્તામાળ સુખકારી, કરો કંઠ શોભા તે ભારી. ૩૩ સતગુરુ ચરણરેણુ૧૦૨ શિર ધરીએ, ભાળ શોભા ઈણવિધ ભવિ કરીએ; ૧૦૩મોહજાળ હોટો અતિ કહીએ, તાકું તોડ અક્ષયપદ લહીએ. ૩૪ પાપકા મૂળ ૧૦૪લોભ જગમાંહીં, રોગ મૂળ ૧૦પરસ દુજા નાંહી; દુ:ખકા મૂળ ૧૦૬સનેહ પિયારે, ધન્ય પુરુષ તિનુથી ત્યારે. ૩૫ અશુચિ વસ્તુ જાણો નિજ ૧૦૭કાયા, શુચિ પુરુષ જે વરજિત ૧૦માયા; સુધાસમાન ૧૯અધ્યાતમવાણી, વિષસમ કુકથા પાપ કહાણી. ૩૬
૪૩
૧૦૦ નિર્મળ નવપદનું ધ્યાન ધરીએ અને એ રીતે હૃદયની શોભા હંમેશાં કરીએ. ૧૦૧ પ્રભુના ગુણરૂપ સુખકારી મુક્તામાળ કંઠમાં ધારણ કરી કંઠની ભારે શોભા કરો. ૩૩
૧૦૨ સદ્ગુરુના ચરણની રજને મસ્તકે ધારણ કરીએ, અને એ રીતે કપાળની શોભા હે ભવ્ય જીવ ! કરીએ. ૧૦૩ આ સંસારમાં મોહ એ મોટી જાળ છે, એમ કહીએ તેને તોડીને અક્ષયપદ-મોક્ષપદ વરીએ. ૩૪
૧૦૪ જગતમાં પાપનું મૂળ લોભ છે. ૧૦૫ રોગનું મૂળ રસ (છ વિગઈઓ) છે, બીજું નથી. હે પ્યારા આત્મા ! ૧૦૬ દુઃખનું મૂળ સ્નેહ છે. જે પુરુષ તેનાથી ન્યારા છે-અલગ છે તેને ધન્ય છે. ૩૫
૧૦૭ અશુચિ વસ્તુ, તે પોતાનું શરીર છે. ૧૦૮ જે માયા રહિત છે, તે પુરુષ પવિત્ર છે. ૧૦૯ અધ્યાત્મની વાણી, તે અમૃત સમાન છે. ૧૧૦ પાપની કથનીરૂપ કુકથા, એ વિષ સમાન છે. ૩૬